સુપ્રીમ કોર્ટના પાંચ જજ એક સાથે કોરોના પોઝિટીવ, સજાતિય લગ્ન કેસની સુનાવણી ટળી


  • Published By :
  • Published Date : 2023-04-23 17:23:55

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તપાસ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 12,193 નવા કેસ નોંધાયા છે. હવે જ્યારે, કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 67,556 પર પહોંચી ગઈ છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે હવે સુપ્રીમ કોર્ટના પાંચ જજોના કોવિડથી સંક્રમિત થવાનો મામલો પણ સામે આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોઝિટિવ આવેલા જજોમાંથી એક ન્યાયાધિશ સમલૈંગિક લગ્નના કેસની સુનાવણી માટે રચાયેલી બંધારણીય બેંચમાં સામેલ છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યું કે CJI DY ચંદ્રચુડ પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તમામ ન્યાયાધીશોના સંપર્કમાં છે.


આ 5 જજ કોરોનાની ઝપેટમાં આવ્યા


સૂત્રોના જણાવ્યા અનુસાર જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા હાલમાં કોરોના સંક્રમિત છે. જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ સમલૈંગિક લગ્ન કેસમાં બંધારણીય બેંચનો ભાગ છે. બીજી તરફ, જસ્ટિસ સૂર્યકાંત એક અઠવાડિયા પહેલા કોરોનાને હરાવીને સ્વસ્થ થઈ ગયા છે.


સોમવારે સમલૈંગિક લગ્ન મામલે કોઈ સુનાવણી નહીં થાય


બંધારણીય બેંચના જજ કોરોના સંક્રમિત હોવાને કારણે સુપ્રીમ કોર્ટ સોમવારે સમલૈંગિક લગ્નના કેસની સુનાવણી નહીં કરે. બંધારણીય બેંચના સહ ન્યાયાધીશ કોરોના સંક્રમિત હોવાને કારણે બેન્ચના અન્ય ન્યાયાધીશો પણ તેમના સ્વાસ્થ્યને લઈને સતર્ક થઈ ગયા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.