સુપ્રીમ કોર્ટે નોટબંધી પર મોદી સરકાર અને RBIને નોટિસ પાઠવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 22:44:21

સુપ્રીમ કોર્ટે નોટબંધી પર કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને નોટીસ પાઠવી છે. 5 ન્યાયમૂર્તિની બંધારણીય પીઠે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને 9 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. 9 સપ્ટેમ્બર સુધી  કેન્દ્ર બેંક અને કેન્દ્ર સરકારને જવાબ આપવાનો છે કે 1000 અને 500 રૂપિયાની નોટ કેમ બંધ કરી. સુપ્રીમ કોર્ટે એફિડેવિટ આપીને જવાબ આપવા માટે કેન્દ્રીય બેંક અને કેન્દ્રીય સરકારને સૂચના આપી છે. 


નોટબંધી સામેની અરજી તો 2016માં કરી દેવાઈ હતી  

આ અરજી તો 16 ડિસેમ્બર 2016ના રોજ સુપ્રીમ કોર્ટમાં કરી દેવામાં આવી હતી. ત્યારે ન્યાયમૂર્તિઓની બંધારણીય પીઠ બની શકી ના હતી જેથી સુનાવણી નહોતી થઈ શકી. વિવેક શર્મા નામના વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં નોટબંધી સામે અરજી કરી હતી. ત્યાર બાદ 50થી વધુ અરજીઓ અલગ અલગ લોકો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. અત્યાર સુધી માત્ર 3 અરજી પર સુનાવણી થઈ હતી પરંતુ હવે આ તમામ અરજી પર એક સાથે સુનાવણી થશે. તમામ સુનાવણી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નઝીરની અધ્યક્ષતામાં થશે. 


હજારો કરોડોની જૂની નોટનો RBI પાસે હિસાબ નથી

કેન્દ્રની મોદી સરકારે એ અનુમાન સાથે 500 અને 1 હજાર રૂપિયાની નોટ બંધ કરી હતી કે 3-4 લાખ કરોડ રૂપિયાનું કાળુનાણું બહાર આવશે. પરંતુ 2016ની નોટબંધીમાં 1.3 લાખ કરોડનું કાળુનાણું બહાર આવી શક્યું હતું. તમને એ વાતની ખબર હોવી જોઈ એ કે 500 અને 1000ની નોટ બંધ કાળુ નાણું પાછું આવ્યું કે નહીં પરંતુ 9.21 લાખ કરોડ રૂપિયા ગાયબ જરૂર થઈ ગયા હતા. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.