2002નાં ગુજરાત રમખાણો સાથે જોડાયેલા તમામ કેસ કરો બંધ: સુપ્રીમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 13:41:56

ગુજરાતને હચમચાવી નાખનારા 2002ના કોમી તોફાનોને કોણ ભુલી શકે?. હવે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય લેતા  તોફાનો સાથે સંકળાયેલા તમામ કેસ બંધ કરવાનો હુકમ કર્યો છે. ચીફ જસ્ટિસ યૂયૂ લલિતની બેન્ચે કેસ બંધ કરવાનો હુકમ આપતા કહ્યું કે 'આટલા લાંબા સમય બાદ હવે સુનાવણી કરવાનો કોઈ અર્થ નથી'. રાજ્યના તોફાનો સાથે જોડાયેલી એક અરજી સુપ્રીમમાં દાખલ કરવામાં આવી હતી. દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, ગુજરાતના તોફાનો સાથે જોડાયેલા 9માંથી 8 કેસમાં નીચલી અદાલત ચુકાદો સંભળાવી ચૂકી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નરોડા પાટીયા સાથે જોડાયેલા કેસની સુનાવણી હજુ પણ ચાલી રહી છે. 



ઝાકિયા જાફરીની અરજી સુપ્રીમ ફગાવી ચુકી છે 


ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપનાર SIT સામે  ઝાકિયા જાફરીએ સુપ્રીમ એક અરજી દાખલ કરી હતી. 24 જૂને ઝાકિયાએ  PM મોદી સામે કરેલી અરજીને સુપ્રીમે ફગાવી દીધી હતી.સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપતા કહ્યું હતું કે, ઝાકિયાની અરજીમાં મેરિટ નથી.


ગોધરાકાંડ બાદ ફાટી નિકળ્યા હતા રમખાણો


રાજ્યમાં 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર S-6ને જ્વલનશીલ પ્રવાહી છાંટીને સળગાવી દેવામાં આવ્યો હતો. જેમાં 59 યાત્રિકોના મોત થયા હતાં. આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતાં અને સમગ્ર રાજ્યમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતાં. આ કોમી રમખાણોમાં હજારો લોકોના મોત થયા હતા. આ કોમી હિંસા અને હુલ્લડો જૂન મહિનાના મધ્ય સુધી ચાલ્યા હતાં. 




માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.

આપણી આસપાસ એવા લોકો હશે જે ખાવાની કદર નહીં કરતા હોય... અન્નો અનાદર કરતા હોય.. થાળીમાં પીરસાતા ભોજનનો તીરસ્કાર કરતા હોય છે, અથવા તો એંઠું મૂકી દેતા હોય છે, પરંતુ આ સમયે તે નથી વિચારતા કે અન્નને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હશે અને કેટલી મહેનત લાગી હશે..

વિધાનસભામાં પણ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો છે.. અનેક વખત અલગ અલગ રીતથી ઉમેદવારો સરકાર સુધી પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે ફરી એક વખત ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા છે પરંતુ સરકાર સમક્ષ નહીં પરંતુ ગણપતિ દાદા સમક્ષ....

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગાડીઓ હવામાં ઉડી રહી હોય તેવું લાગે.. હાલમાં જ અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તામાં ખામીને કારણે પૂરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઊછળી રહી છે.