સુપ્રીમ કોર્ટને મળ્યા પાંચ નવા ન્યાયાધીશ, CJIએ લેવડાવ્યા શપથ


  • Published By :
  • Published Date : 2023-02-06 16:25:42

સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિયુક્તિ થઈ ગઈ છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડે જજોને શપથ લેવડાવી હતી. અદાલતમાં કુલ ન્યાયાધીશોની સંખ્યા 32 થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં સ્વીકૃત ન્યાયાધીશોની સંખ્યા 34 થઈ ગઈ છે. રાજસ્થાન, પટના અને મણિપુરના ઉચ્ચ ન્યાયાલયોના ત્રણ મુખ્ય જજ પંકજ મિત્તલ, સંજય કરોલ અને પીવી સંજય કુમારે શપથ ગ્રહણ કર્યા છે.

   

પાંચ જજોએ કર્યા શપથ ગ્રહણ

સોમવારના રોજ સુપ્રીમ કોર્ટને નવા પાંચ ન્યાયાધીશ મળી ગયા છે. સવારના સમયે તમામ પાંચ જજોને ભારતના મુખ્ય ન્યાયાધીશે શપથ લેવડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના નવા જજ તરીકે પંકજ મિતલ, સંજય કરોલ અને જસ્ટિસ પીવી સંજય કુમારે શપથ લીધી છે. તે સિવાય બે જજસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ, જસ્ટિસ મનોજ મિશ્રાના નામનો પણ સમાવેશ થયો છે. આની સાથે સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા 32 થઈ ગઈ છે.

  


21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.