સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત! મેડિકલ આધાર પર દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રીને આપ્યા વચગાળાના જામીન!


  • Published By :
  • Published Date : 2023-05-26 14:06:56

સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને મોટી રાહત આપી છે. કોર્ટે સત્યેન્દ્ર જૈનને 6 અઠવાડિયા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. મની લોન્ડરિંગ કેસમાં તે જેલવાસો ભોગવી રહ્યા છે. ખરાબ તબિયતને કારણે સારવાર માટે જામીન મંજૂર કર્યા છે. મહત્વનું છે કે અનેક દિવસોથી તેમની તબિયત ખરાબ છે. 25 મેના રોજ ચક્કર ખઈ જેલના બાથરૂમમાં પડી ગયા હતા જે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ શકે છે પરંતુ સત્યેન્દ્ર જૈન દિલ્હીની બહાર નહીં જઈ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તબિયતના કારણોસર છ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.

વચગાળાના જામીન સુપ્રીમ કોર્ટે કર્યા મંજૂર!       

ઘણા સમયથી જેલની સજા દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ભોગવી રહ્યા છે. જેલમાં હોવા છતાંય અનેક વખત તેઓ ચર્ચામાં રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત ખરાબ છે. ત્યારે સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને મેડિકલ આધાર પર જામીન આપ્યા છે. શરતોને આધીન તેમને વચગાળાના જામીન અપાયા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તબિયતના કારણોસર છ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. આ દરમિયાન પસંદગીની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકશે. દિલ્હીની બહાર સત્યૈન્દ્ર જૈન જઈ શકશે. 10 જુલાઈએ હેલ્થ રિપોર્ટ જમા કરવા આદેશ કરવામાં આવ્યો છે. 11 જુલાઈ સુધી કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. 

બાથરૂમમાં સત્યેન્દ્ર જૈન થયા હતા સ્લીપ!  

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર સત્યેન્દ્ર જૈન લઈ શકશે. પરંતુ આ દરમિયાન સત્યેન્દ્ર જૈન આ મામલે મીડિયા સાથે વાતચીત કરી નહીં શકે. કોર્ટની પરમિશન વગર દિલ્હીની બહાર તેઓ જઈ શકશે નહી. મહત્વનું છે કે ગઈકાલે જેલના બાથરૂમમાં લપસીને પડી ગયા હતા. જેને લઈ સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 31 મે 2022થી તે સજા ભોગવી રહ્યા છે. આ પહેલા પણ દિલ્હી હાઈકોર્ટે જામીનની અરજી ફગાવી દીધી હતી.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.