Supreme Courtએ Delhiના CM Arvind Kejriwalને આપ્યા જામીન પરંતુ આ શરતો સાથે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-13 11:58:39

સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત આપી છે.. કોર્ટે તેમના જામીન મંજૂર કરી દીધા છે અને હવે અરવિંદ કેજરીવાલ જેલ મુક્ત થઈ ગયા છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ બહાર તો આવશે પણ કેટલીક શરતો સાથે.. 

અનેક શરતો પર મળ્યા જામીન

વિગતવાર વાત કરીએ તો CBIએ 26 જૂને કથિત દારૂ નીતિ કેસ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. 177 દિવસો સુધી અરવિંદ કેજરીવાલ જેલમાં હતા. સુપ્રીમ કોર્ટે જામીન 4 શરતો પર આપી છે. પહેલી શરત અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય જઈ શકશે નહીં. ઉપરાંત કેસ સંબંધિત કોઈ જાહેર ચર્ચા નહીં કરી શકે. તે સિવાય તપાસમાં અવરોધ કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં.



સીબીઆઈ કેસમાં મળ્યા જામીન 

જરૂર પડશે તો ટ્રાયલ કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપશે. જોકે બે તપાસ એજન્સીઑએ  કેજરીવાલ સામે કેસ નોંધ્યો છે. એક ED અને એક CBI.ED કેસમાં 12 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. અને કેજરીવાલને આજે CBI કેસમાં જામીન મળી ગયા છે એટલે હવે એ બહાર આવશે . 



21 માર્ચે ઈડીએ કરી હતી ધરપકડ

આખા ટાઈમલાઈનની વાત કરીએ તો કેજરીવાલની ધરપકડ 21 માર્ચે ED દ્વારા કરવામાં આવી હતી. 10 દિવસની પૂછપરછ બાદ તેમને 1 એપ્રિલે તિહાર જેલમાં મોકલી દેવાયા હતા. 10 મેના રોજ તેમને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે 21 દિવસ માટે મુક્ત કરાયા હતા. 51 દિવસ જેલમાં રહ્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. 2 જૂને કેજરીવાલે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું.


વચગાળાના જામીન મળ્યા હતા અરવિંદ કેજરીવાલને

 કેજરીવાલ આજે 13મી સપ્ટેમ્બરે જેલ મુક્ત થયા છે. તો તેઓ કુલ 177 દિવસ જેલમાં હશે. જેમાંથી તે 21 દિવસ માટે વચગાળાના જામીન પર રહ્યો હતો. એટલે કે કેજરીવાલે અત્યાર સુધીમાં કુલ 156 દિવસ જેલમાં વિતાવ્યા છે. તો આજે એ બહાર આવે એ પહેલા જ આપના નેતાઓમાં જોશ છે અને અનેક નિવેદનો સામે આવ્યા જેમાં નેતાઓ ભાજપ પર પ્રહાર કરે છે કે કેમ તે જોવું રહ્યું.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.