Supreme Courtએ વોટના બદલામાં નોટ કેસમાં આપ્યો મોટો ચૂકદો, કોર્ટના નિર્ણય બાદ સાંસદ-ધારાસભ્યને નહીં મળે રક્ષણ...


  • Published By :
  • Published Date : 2024-03-04 12:23:39

સુપ્રીમ કોર્ટ દ્વારા એવા ચૂકાદા આપવામાં આવી રહ્યા છે જેને ઐતિહાસિક ગણવામાં આવે છે. થોડા સમય પહેલા ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો ત્યારે આજે ફરી એક વખત સુપ્રીમ કોર્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે. વોટની બદલીમાં નોટ મામલે સુપ્રીમ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો છે. પોતે લીધા નિર્ણયને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે. કોર્ટે કહ્યું કે પહેલા ના નિર્ણયથી અમે સહેમત નથી. પોતાના ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદસભ્યો કે ધારાસભ્યો ગૃહમાં મતદાન માટે લાંચ લઈને કાર્યવાહીથી બચી શકે નહીં. કોર્ટે કહ્યું કે લાંચ પર કોઈ છૂટ આપી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે પોતાના આગળના ચૂકાદાને ફગાવી દીધો!

જો પૈસા લઈને સાંસદ અથવા ધારાસભ્ય ભાષણ આપે છે અથવા તો મત આપે છે તો સાંસદ અથવા તો ધારાસભ્ય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આજે આપવામાં આવ્યો છે. જો ધારાસભ્ય અથવા તો સાંસદ લાંચની બદલીમાં ,પૈસાની બદલીમાં વિધાનસભામાં મત મેળવે છે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરાશે, તેમને કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં નહીં આવે તેવો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. સી.જે.આઈ સહિત સાત જજોની બેન્ચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કેસની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે તેના 1998 ના નરસિમ્હા રાવના ચુકાદાને ફગાવી દીધો છે. સાંસદો અને ધારાસભ્યોને કાનૂની રક્ષણ આપવાનો ઇનકાર સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કર્યો છે. ચુકાદો સંભળાવતા કોર્ટે કહ્યું કે લાંચ પર કોઈ છૂટ આપી શકાય નહીં. 


ચૂકાદો આપતા શું કહ્યું સી.જે.આઈએ? 

દેશની સર્વોચ્ચ અદાલતે વર્ષ 1998માં લીધેલા પોતાના નિર્ણયને બદલી દીધો છે. 1998માં પાંચ જજોની બેન્ચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધારાસભ્ય અથવા સાંસદ પર કાયદેસર કાર્યવાહી નહીં કરવામાં આવે. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે પહેલા લીધેલા નિર્ણયને ફગાવી દીધો છે અને નવો નિર્ણય સંભળાવ્યો છે. નવા નિર્ણય અંતર્ગત હવે પૈસા લઈને ભાષણ અથવા તો મત આપશે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સીજેઆઈએ કહ્યું કે વિધાનસભાના સભ્ય દ્વારા કરવામાં આવતો ભ્રષ્ટાચાર અથવા લાંચ જાહેર જીવનમાં પ્રામાણિક્તા નષ્ટ કરે છે. ધારાસભ્યો દ્વારા ભ્રષ્ટાચાર અને લાંચ ભારતીય સંસદીય લોકશાહીની કામગીરીને નષ્ટ કરે છે.    

  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે