EDના ડાયરેક્ટરને ત્રીજી વખત એક્સટેન્શન આપવા મામલે સુપ્રીમ કોર્ટે સરકારનો ઉધડો લીધો


  • Published By :
  • Published Date : 2023-05-04 20:34:20

EDના ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાને એક્સટેન્શન નહીં આપવાના નિર્દેશ છતાં તેમનો કાર્યકાળ ત્રીજી વખત વધારવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે શું કોઈ વ્યક્તિ એટલી જરૂરી બની જાય છે કે તેમના વગર કામ જ ન થઈ શકે? સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારે તે સવાલ પણ કર્યો કે શું ઈડીમાં એવો કોઈ વ્યક્તિ નથી કે જે તેમની જવાબદારી નિભાવી શકે?


સોલિસિટર જનરલે સરકારના પક્ષમાં કરી દલીલો


સુપ્રીમ કોર્ટના જસ્ટીસ બી.આર.ગવઈ, જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ સંજય કરોલની બેંચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો કરી હતી. તેમણે કહ્યું કે સંજય કુમાર મિશ્રાનું એક્સટેન્શન વહીવટી કારણોથી ખુબ જ જરૂરી છે, તે ઉપરાંત તેઓ મની લોન્ડરિંગ અને આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગ (FATF)ના જોખમનો સામનો કરવા માટે દેશમાં લેવામાં આવેલા પગલાંની તપાસ કરવાના છે. તુષાર મહેતાએ વધુમાં કહ્યું કે એવું નથી કે સરકાર કોઈ ચોક્કસ અધિકારીને ખૂબ પસંદ કરે છે, આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે, કારણ કે અત્યારે આ પોસ્ટ પર મિશ્રા જેવા ‘અનુભવી વ્યક્તિ’ની જરૂર છે.આ દલીલ સાંભળીને બેંચે સોલિસિટર જનરલને સવાલ કર્યો કે શું તમારા હિસાબે ઈડીમાં કોઈ અન્ય યોગ્ય વ્યક્તિ નથી? એજન્સીનું 2023 બાદ શું થશે, જ્યારે તે નિવૃત થશે? 


એક્સટેન્શનને સુપ્રીમમાં પડકારાયું


સુપ્રીમ કોર્ટ સંજય કુમાર મિશ્રાને એક્સટેન્શન આપવાને પડકારતી અરજીની સુનાવણી કરી રહી છે. વર્ષ 2021ના એક આદેશ મુજબ વર્ષ 1984ના આઈઆરએસ અધિકારી સંજય કુમાર મિશ્રાને નવેમ્બર 2021 બાદ તેમને વધુ એક્સટેન્શન આપવામાં આવશે નહીં. જો કે તેમ છતાં મિશ્રાને વધુ બે વર્ષ માટે ઈડીના ડાઈરેક્ટર બનાવવામાં આવ્યા હતા. સરકારે 15 નવેમ્બર 2021માં સીવીસી એક્ટ અને દિલ્હી સ્પેશિયલ પોલીસ એક્ટમાં ફેરફાર કરીને તેમનો કાર્યકાળ વધારી દીધો હતો. મોદી સરકારના આ સુધારા સામે કોંગ્રેસના રણદીપ સુરજેવાલા, જયા ઠાકુર અને ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ સુપ્રીમ કોર્ટમાં PIL કરી હતી.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!