ED ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાને સુપ્રીમે આપ્યો ઝટકો, એક્સટેંશનને ગણાવ્યું ગેરકાનુની, 31 જુલાઈ સુધી રહી શકશે હોદ્દા પર


  • Published By :
  • Published Date : 2023-07-11 18:16:14

સુપ્રીમ કોર્ટે મંગળવારે ED ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાને મોટો ઝટકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ ત્રીજી વખત વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણયને ગેર-કાનુની ગણાવ્યો છે. જો કે કોર્ટના આ દેશ છતાં પણ સંજય મિશ્રા 31 જુલાઈ સુધી પદ પર રહેશે. આ સમયગાળા દરમિયાન સરકારે નવા ED ચીફની નિમણૂક કરવી પડશે.


કેન્દ્ર સરકારે 3 વખત વધાર્યો હતો કાર્યકાળ


કેન્દ્ર સરકારે સંજય મિશ્રાનો કાર્યકાળ ત્રણ વખત વધાર્યો હતો. આ પહેલા સંજય મિશ્રા 18 નવેમ્બરે નિવૃત થવાના હતા. જો કે કેન્દ્ર સરકારે વટહુકમ દ્વારા તેમનો કાર્યકાળ સતત ત્રીજી વખત વધાર્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ પણ કહ્યું હતું કે બીજી વખત સંજય મિશ્રાનો કાર્યકાળ વધારવામાં ન આવે. 


કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કરી આ દલીલ


ઈડી ચીફ સંજય મિશ્રાને પદ પર જાળવી રાખવા કેન્દ્ર સરકાર સતત તેમનો બચાવ કરતી હતી. કેન્દ્ર સરકારે સંજય મિશ્રાને મામલે સુપ્રીમ કોર્ટમાં તર્ક આપ્યો હતો કે સંજય મિશ્રાનું સ્થાન લઈ શકે તેવો કોઈ અધિકારી હાલ નથી. તેઓ હાલ મની લોન્ડ્રિગના અનેક કેસ જોઈ રહ્યા છે. આ સ્થિતીમાં નવી નિમણૂક માટે થોડો વધુ સમય જોઈએ છે.


કોણે કરી હતી અરજી? 


EDના ડાઈરેક્ટર સંજય મિશ્રાને સરકાર તરફથી મળેલા એક્સટેન્શનને સુપ્રીમ કોર્ટે ગેરકાનુની ગણાવ્યું છે. સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે વર્ષ 2021માં એનજીઓ કોમન કોઝના કેસમાં જે ચુકાદો આપ્યો હતો તેની આ કેસમાં અવગણના થઈ છે. સંજય મિશ્રા મામલે કોમન કોઝ ઉપરાંત કોંગ્રેસના નેતા જયા ઠાકુર, રણદીપ સુરજેવાલાસ ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા, સાકેત ગોખલે પણ તેમની અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે ગત સુનાવણીમાં તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.