અમે કોઈ પણ બાળકને મારી ન શકીએ, અજન્મા બાળક અને માતાના અધિકારો વચ્ચે સંતુલન જરૂરીઃ સુપ્રીમ કોર્ટ


  • Published By :
  • Published Date : 2023-10-13 17:45:57

સુપ્રીમ કોર્ટમાં એક મહિલાની 26 અઠવાડિયાની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની અરજી પર ગુરુવારે ત્રણ જજોની બેંચે સુનાવણી હાથ ધરી હતી. CJI ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ અરજીકર્તા મહિલાના વકીલને પૂછ્યું કે 26 અઠવાડિયાની રાહ જોયા પછી, શું તે વધુ થોડા દિવસો રાહ જોઈ શકે નહીં. બેન્ચે કહ્યું- આપણે માતાના અધિકારો સાથે અજાન્મા બાળકના અધિકારોને સંતુલિત કરવાની જરૂર છે. તે જીવંત ગર્ભ છે. શું તમે ઈચ્છો છો કે અમે AIIMSના ડૉક્ટરોને તેનું હૃદય રોકવા માટે કહીએ, અમે એવું ન કરી શકીએ. અમે કોઈ પણ બાળકને મારી શકતા નથી. સુપ્રીમ કોર્ટે ASG ઐશ્વર્યા ભાટી અને મહિલાના વકીલને આ અંગે અરજી કરનાર મહિલા સાથે વાત કરવા કહ્યું હતું. આ મામલામાં આગામી સુનાવણી 13 ઓક્ટોબરે થશે.


ગર્ભાવસ્થા જાળવી રાખવાની સુચના

 

મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP) અધિનિયમ હેઠળ સગર્ભાવસ્થા સમાપ્ત કરવાની ઉપલી મર્યાદા પરિણીત મહિલાઓ અને બળાત્કારનો ભોગ બનેલી અને અપંગ અને સગીર સહિતની વિશેષ શ્રેણીઓ માટે 24 અઠવાડિયા છે. બેન્ચે કેન્દ્ર અને મહિલાના વકીલને તેની (અરજીકર્તા) સાથે થોડા વધુ અઠવાડિયા સુધી ગર્ભાવસ્થા જાળવી રાખવાની શક્યતા વિશે વાત કરવા જણાવ્યું હતું.


અરજદારના વકીલને ફટકાર


સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોનું કામ અધિકારો અને ફરજો અને સામાજિક ભલાઈ વચ્ચે સંતુલન જાળવવાનું છે. અગાઉ, અરજદારના વકીલે સગર્ભાવસ્થા સમાપ્ત કરવાની તરફેણમાં જોરદાર દલીલ કરી હતી અને પૂછ્યું હતું કે જો કોઈ અપરિણીત ગર્ભવતી મહિલા કોર્ટનો સંપર્ક કરતી હોત તો શું કોર્ટે આ જ વલણ અપનાવ્યું હોત. બેન્ચે કહ્યું, "અમે સુપ્રીમ કોર્ટ છીએ." કહ્યું, "આ આ કોઈ સગીર પીડિતાનો કેસ નથી કે જે ગર્ભવતી થઈ હોય અને ન તો તે કોઈ સ્ત્રીનો કેસ છે જે જાતીય હિંસા અથવા દુર્વ્યવહારનો ભોગ બનેલી હોય. તે (અરજીકર્તા) પરિણીત મહિલા છે. તેને બે બાળકો છે. અલબત્ત, અમે તમને જે પ્રાથમિક પ્રશ્ન પૂછવા માગીએ છીએ તે છે, તે 26 અઠવાડિયા સુધી શું કરી રહી હતી? તે અગાઉ બે વખત ગર્ભવતી રહી હતી. તે ગર્ભાવસ્થાના પરિણામો જાણે છે."



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.