અમે કોઈ પણ બાળકને મારી ન શકીએ, અજન્મા બાળક અને માતાના અધિકારો વચ્ચે સંતુલન જરૂરીઃ સુપ્રીમ કોર્ટ


  • Published By :
  • Published Date : 2023-10-13 17:45:57

સુપ્રીમ કોર્ટમાં એક મહિલાની 26 અઠવાડિયાની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની અરજી પર ગુરુવારે ત્રણ જજોની બેંચે સુનાવણી હાથ ધરી હતી. CJI ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ અરજીકર્તા મહિલાના વકીલને પૂછ્યું કે 26 અઠવાડિયાની રાહ જોયા પછી, શું તે વધુ થોડા દિવસો રાહ જોઈ શકે નહીં. બેન્ચે કહ્યું- આપણે માતાના અધિકારો સાથે અજાન્મા બાળકના અધિકારોને સંતુલિત કરવાની જરૂર છે. તે જીવંત ગર્ભ છે. શું તમે ઈચ્છો છો કે અમે AIIMSના ડૉક્ટરોને તેનું હૃદય રોકવા માટે કહીએ, અમે એવું ન કરી શકીએ. અમે કોઈ પણ બાળકને મારી શકતા નથી. સુપ્રીમ કોર્ટે ASG ઐશ્વર્યા ભાટી અને મહિલાના વકીલને આ અંગે અરજી કરનાર મહિલા સાથે વાત કરવા કહ્યું હતું. આ મામલામાં આગામી સુનાવણી 13 ઓક્ટોબરે થશે.


ગર્ભાવસ્થા જાળવી રાખવાની સુચના

 

મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP) અધિનિયમ હેઠળ સગર્ભાવસ્થા સમાપ્ત કરવાની ઉપલી મર્યાદા પરિણીત મહિલાઓ અને બળાત્કારનો ભોગ બનેલી અને અપંગ અને સગીર સહિતની વિશેષ શ્રેણીઓ માટે 24 અઠવાડિયા છે. બેન્ચે કેન્દ્ર અને મહિલાના વકીલને તેની (અરજીકર્તા) સાથે થોડા વધુ અઠવાડિયા સુધી ગર્ભાવસ્થા જાળવી રાખવાની શક્યતા વિશે વાત કરવા જણાવ્યું હતું.


અરજદારના વકીલને ફટકાર


સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોનું કામ અધિકારો અને ફરજો અને સામાજિક ભલાઈ વચ્ચે સંતુલન જાળવવાનું છે. અગાઉ, અરજદારના વકીલે સગર્ભાવસ્થા સમાપ્ત કરવાની તરફેણમાં જોરદાર દલીલ કરી હતી અને પૂછ્યું હતું કે જો કોઈ અપરિણીત ગર્ભવતી મહિલા કોર્ટનો સંપર્ક કરતી હોત તો શું કોર્ટે આ જ વલણ અપનાવ્યું હોત. બેન્ચે કહ્યું, "અમે સુપ્રીમ કોર્ટ છીએ." કહ્યું, "આ આ કોઈ સગીર પીડિતાનો કેસ નથી કે જે ગર્ભવતી થઈ હોય અને ન તો તે કોઈ સ્ત્રીનો કેસ છે જે જાતીય હિંસા અથવા દુર્વ્યવહારનો ભોગ બનેલી હોય. તે (અરજીકર્તા) પરિણીત મહિલા છે. તેને બે બાળકો છે. અલબત્ત, અમે તમને જે પ્રાથમિક પ્રશ્ન પૂછવા માગીએ છીએ તે છે, તે 26 અઠવાડિયા સુધી શું કરી રહી હતી? તે અગાઉ બે વખત ગર્ભવતી રહી હતી. તે ગર્ભાવસ્થાના પરિણામો જાણે છે."



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.