લ્યો બોલો, સુપ્રીમ કોર્ટે કુતરા કરડવાથી કેટલા લોકોના મોત થયા તે અંગે માંગ્યો રિપોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 16:35:46

દેશમાં કૂતરા કરડવાથી થતા મૃત્યુ પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચિંતા વ્યક્ત કરી હતી. સર્વોચ્ચ અદાલતે એનિમલ વેલ્ફેર બોર્ડને છેલ્લા 7 વર્ષમાં કૂતરા કરડવાથી થયેલા મૃત્યુનો ડેટા રજૂ કરવા જણાવ્યું છે. કોર્ટે તેને રોકવા માટે લીધેલા પગલાનો હિસાબ પણ માંગ્યો છે. આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે અમે જાણવા માંગીએ છીએ કે કેટલા રાજ્યોમાં કૂતરા કરડવાથી લોકોના મોત થયા છે અને કેટલા લોકો ઘાયલ થયા છે. કોર્ટે એ પણ પૂછ્યું કે શું આ માટે ગાઈડલાઈન્સ ઘડવાની જરૂર છે.


કોર્ટે કેરળમાં કૂતરાના કરડવાથી થયેલા મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરી


સુપ્રીમ કોર્ટે આ વર્ષે કેરળમાં કૂતરાના કરડવાથી થયેલા મૃત્યુ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે કેરળમાં આ વર્ષે આવા કેસમાં વધારો થયો છે. આપણે બધા કૂતરાઓને પ્રેમ કરીએ છીએ પરંતુ જો રખડતા કૂતરાના કરડવાથી સમસ્યા સર્જાય તો આપણે તેનો ઉકેલ શોધવાની જરૂર છે. જસ્ટિસ ગવઈએ કહ્યું કે જેઓ રખડતા કૂતરાઓને ખવડાવતા હોય છે, તે લોકો પર રસીકરણ અને સારવારનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કૂતરા કરડવાની સમસ્યા હવે સમગ્ર દેશ માટે સમસ્યા બની ગઈ છે. આપણે આ સમસ્યાનો રાજ્યવાર ઉકેલ શોધવો પડશે. આ મામલાની સુનાવણી કરતાં જસ્ટિસ ગવઈએ અવલોકન કર્યું કે તે પ્રદેશ સંબંધિત સમસ્યા હોઈ શકે છે પરંતુ મુંબઈ અને હિમાચલ પ્રદેશની સ્થિતિ કેરળથી સંપૂર્ણપણે અલગ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.