સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, લગ્નના ભંગાણની સ્થિતિમાં, છુટાછેડા માટે 6 મહિના રાહ જોવાની જરૂર નથી


  • Published By :
  • Published Date : 2023-05-01 15:15:21

સુપ્રીમ કોર્ટે પતિ-પત્નીના સંબંધોને લઈને મહત્વની ટીપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે જો સંબંધોમાં આવેલી તીરાડ વધી રહી હોય તો આવી સ્થિતીમાં સાથે રહેવાનો કોઈ  મતલબ નથી. એટલા માટે જીવનસાથીઓ વચ્ચે પડેલી તિરાડ ન ભરાય તો લગ્નને 6 મહિના પહેલા પણ ફોક કરી શકાય છે. લગ્નના ભંગાણની સ્થિતિમાં, સુપ્રીમ કોર્ટ તેના વતી સીધા છૂટાછેડાનો આદેશ આપી શકે છે. પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે 6 મહિનાની રાહ જોવાની કાનૂની જવાબદારી પણ આવી સ્થિતિમાં જરૂરી રહેશે નહીં. 


કલમ 142  હેઠળ મળ્યા છે વિશેષાધિકાર


સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ એસ કે કૌલની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બેન્ચે સોમવારે કહ્યું કે સર્વોચ્ચ અદાલતને બંધારણની કલમ 142 હેઠળ સંપુર્ણ ન્યાય કરવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું કે તે કલમ 142  હેઠળ આપવામાં આવેલી વિશેષાધિકારનો ઉપયોગ કરીને પતિ-પત્નીની પરસ્પર સહમતીથી લગ્ન ફોક કરી શકે છે. બેન્ચે કહ્યું કે દંપતિના લગ્નને સમાપ્ત કરવા માટે હવે 6 મહિનાની રાહ જોવી પડશે નહીં. કલમ 142માં એવી જોગવાઈ છે કે ન્યાયના હિતમાં સુપ્રીમ કોર્ટ કાનૂની ઔપચારિકતાને બાયપાસ કરીને કોઈ પણ આદેશ પસાર કરી શકે છે.


કોર્ટમાં છૂટાછેડાના કેસનો થઈ રહ્યો છે ભરાવો


હિન્દુ મેરેજ એક્ટ 1955ની કલમ 13-બીમાં જોગવાઈ છે કે જો પતિ-પત્ની પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી શકે છે. પરંતુ ફેમિલી કોર્ટમાં કેસોની સંખ્યા વધુ હોવાને કારણે અરજી જજ સમક્ષ સુનાવણી માટે આવવામાં સમય લાગે છે. આ પછી છૂટાછેડાનો પહેલો પ્રસ્તાવ જારી કરવામાં આવે છે, પરંતુ બીજી દરખાસ્ત એટલે કે છૂટાછેડાનો ઔપચારિક હુકમ મેળવવા માટે 6 મહિના સુધી રાહ જોવી પડે છે.


પાંચ જજોની બેન્ચે આપ્યો ચુકાદો


વર્ષ 2016માં છુટાછેડાનો આ કેસ 5 જજોની બંધારણીય બેંચને મોકલવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર 2022માં જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, એએસ ઓકા, વિક્રમ નાથ અને જેકે મહેશ્વરીએ આ મામલાની સુનાવણી કરી અને હવે બેન્ચનો નિર્ણય આવી ગયો છે. ન્યાયાધીશોએ સ્વીકાર્યું છે કે બંધારણમાં કલમ 142ની જોગવાઈ કરવામાં આવી છે જેથી સુપ્રીમ કોર્ટ લોકોના અધિકારોની સુરક્ષા માટે આદેશ આપી શકે.


6 મહિનાની બાધ્યતા ખતમ


જસ્ટિસ સંજીવ ખન્નાએ બેંચનો ચુકાદો વાંચતા કહ્યું કે જ્યારે લગ્ન ચાલુ રાખવું અશક્ય છે તો સુપ્રીમ કોર્ટ પણ સીધા છૂટાછેડાનો આદેશ આપી શકે છે. પરસ્પર સંમતિથી છૂટાછેડાના કિસ્સામાં 6 મહિનાની રાહ જોવાની કાયદાકીય જોગવાઈ પણ આવા કિસ્સાઓમાં લાગુ થશે નહીં. સુપ્રીમ કોર્ટે તેના વિગતવાર નિર્ણયમાં તે પરિસ્થિતિઓનો પણ ઉલ્લેખ કર્યો છે જ્યારે તે છૂટાછેડાના કેસમાં દખલ કરી શકે છે. આ સાથે જ ભરણપોષણ અને બાળકોના ઉછેર અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!