ગુજરાત સરકારને સુપ્રીમે આપ્યો મોટો ઝટકો, બિલકિસ બાનો કેસના દોષિતો સામે સુનાવણી શરૂ કરશે


  • Published By :
  • Published Date : 2023-03-22 18:35:11

સુપ્રીમ કોર્ટથી 2020ના ગોધરા રમખાણો દરમિયાન બિલ્કિસ બાનો સાથે થયેલા બળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યા કરનારા 11 દોષિતોને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોની સમયથી પહેલા મુક્તિને પડકારનારી અરજીઓ પર સુનાવણી માટે રાજી થઈ ગઈ છે. તે માટે એક બેંચની રચના કરવા માટે પણ સંમત થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે 15 ઓગસ્ટે દોષિતોને સમયથી પહેલા જેલમાંથી મુક્તી આપવામાં આવી હતી.


દોષિતો સામે અનેક અરજીઓ


પીડિતા બિલકિસ બાનો વતી સુપ્રીમ કોર્ટમાં તમામ ગુનેગારોની મુક્તિ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં તમામ દોષિતોને પાછા જેલમાં મોકલવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય એક અરજીમાં પણ સુપ્રીમ કોર્ટને તેના જૂના નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને દોષિતોની મુક્તિ અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું. બિલકિસ બાનો તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે જ્યારે સમગ્ર કેસની સુનાવણી મહારાષ્ટ્રમાં ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર તેના પર કેવી રીતે નિર્ણય લઈ શકે?


શું છે સમગ્ર મામલો?


ગુજરાતમાં  ગોધરાકાંડ પછી 3 માર્ચ 2002ના રોજ રમખાણો ફાટી નીકળ્યા હતા. આ દરમિયાન દાહોદના લીમખેડા જિલ્લાના રંધિકપુર ખાતે બિલ્કીસ બાનોના ઘરમાં ટોળું ઘુસી ગયું હતું. તોફાનીઓથી બચવા માટે બિલ્કીસ ખેતરમાં છુપાઈ ગઈ હતી. તોફાનીઓએ બિલ્કીસ બાનો અને તેની માતા સહિત અન્ય ત્રણ મહિલાઓ પર બળાત્કાર કર્યો હતો. તે સમયે બિલકિસ બાનો 21 વર્ષની હતી. જ્યારે તેની સાથે આ ઘટના બની ત્યારે તે 5 મહિનાની ગર્ભવતી પણ હતી. એટલું જ નહીં, તોફાનીઓએ બિલકિસ બાનોના પરિવારના 7 લોકોની પણ હત્યા કરી હતી. આ હુમલામાં 6 લોકો પણ ગુમ થયા હતા, જેમનો કોઈ અતોપતો મળ્યો નથી.


11 લોકોને સજા કરવામાં આવી હતી


CBIએ આ કેસમાં 11 લોકોની ધરપકડ કરી હતી. જેમને CBIની સ્પેશિયલ કોર્ટે 2008માં દોષિત ઠેરવ્યા હતા. તમામ દોષિતોને શરૂઆતમાં મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા હતા, જો કે બાદમાં તેમને ગોધરાની જેલમાં ખસેડવામાં આવ્યા હતા. ગયા વર્ષે તમામ દોષિતોને તેમની સજા પૂરી થાય તે પહેલા જ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, ગુનેગારોને મુક્ત કર્યા બાદ તેમનું પુષ્પહાર કરીને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.