સુપ્રીમ કોર્ટ કોલેજીયમે 7 રાજ્યોના મુખ્ય ન્યાયાધીશ માટે કરી ભલામણ, ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ સુનિતા અગ્રવાલની થશે નિમણૂક


  • Published By :
  • Published Date : 2023-07-06 15:15:09

દેશના સાત રાજ્યોની હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસની નિમણૂક માટે સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેન્દ્ર સરકારને આ ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ માટે  જસ્‍ટિસ સુનીતા અગ્રવાલની ભલામણ કરી છે. તે ઉપરાંત કોલેજિયમે બુધવારે બોમ્‍બે, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મણિપુર, ઓડિશા અને કેરળની હાઈકોર્ટના મુખ્‍ય ન્‍યાયાધીશોની નિમણૂકની ભલામણ કરી છે. 


કોણ છે સુનિતા અગ્રવાલ?


ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂક માટેની કોલજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટને આ બીજા મહિલા ચીફ જસ્ટિસ મળે તેવી સંભાવના રહેલી છે. સુનિતા અગ્રવાલ અલાહાબાદ હાઇકોર્ટમાં જજ રહી ચૂક્યા છે. 21 નવેમ્બર, 2011માં તેઓ અલાહાબાદ હાઇકોર્ટમાં જજ બન્યા હતા, તેઓ ત્યાંના સૌથી સિનિયર જજ હતા. હાઇકોર્ટમાં 11 વર્ષ કરતા વધુ જજ તરીકેનો તેમને અનુભવ છે. તેઓની નિમણૂક કરવામાં આવે તો ગુજરાત રાજ્યના બીજા મહિલા ચીફ જસ્ટિસ હશે. તો વર્તમાન ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ આશિષ દેસાઈને કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા માટે ભલામણ કરવામાં આવી છે.


આ રાજ્યોને પણ મળશે ચીફ જસ્ટીસ


સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેરળ, ઓડિશા, મણિપુર, આંધ્રપ્રદેશ, બોમ્બે, તેલંગાણા હાઈકોર્ટ માટે પણ મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરવાની ભલામણ કરી છે. જેમ કે કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ આશિષ જે દેસાઈની ભલામણ કરવામાં આવી છે. જ્યારે ઓરિસ્સા હાઈકોર્ટ માટેસુભાસીસ તાલપાત્રા, મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ સિદ્ધાર્થ મૃદુલ, જસ્‍ટિસ દેવેન્‍દ્ર કુમાર ઉપાધ્‍યાયની બોમ્‍બે હાઈકોર્ટ માટે, તેલંગાણા હાઈકોર્ટ માટે જસ્‍ટિસ આલોક આરાધે,  ધીરજ સિંહ ઠાકુરની આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ માટે ભલામણ કરવામાં આવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.