મણિપુર મામલે સુપ્રીમ કોર્ટની લાલઆંખ, CJIએ કહ્યું "જો સરકાર પગલા નહીં લે તો અમે કાર્યવાહી કરીશું"


  • Published By :
  • Published Date : 2023-07-20 15:52:40

મણિપુરમાં એક સમુદાયની બે મહિલાઓ સાથે જાહેર નિર્વસ્ત્ર પરેડ કરાવવાની ઘટનાને લઈને દેશભરમાં ગુસ્સો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્વત: સંજ્ઞાન લીધું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે મણિપુરમાં કુકી જનજાતિની મહિલાઓની નગ્ન પરેડને લઈને ચિતિંત છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડે કહ્યું કે, કોર્ટ આ વીડિયોથી ખૂબ જ વ્યથિત છે અને જો સરકાર કોઈ એક્શન નહીં લે તો તે કાર્યવાહી કરશે. "જે થયું તે અસ્વીકાર્ય છે. સાંપ્રદાયિક ઝઘડાના ક્ષેત્રમાં મહિલાઓનો એક સાધન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેનાથી અમે ખૂબ જ વ્યથિત છીએ. મુખ્ય ન્યાયાધીશે તે પણ કહ્યું કે આ બંધારણીય અધિકારોનું હનન છે, જો સરકાર આ મામલે પગલા નહીં લે તો અમે કાર્યવાહી કરીશું."

 

ગુનેગારો સામે સત્વરે પગલા ભરો


દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને મનોજ મિશ્રાની પણ બેંચે ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારએ ગુનેગારોને પકડવા માટે લીધેલા પગલાં અંગે જવાબ માંગ્યો હતો."અમારું માનવું છે કે અદાલતને સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે જાણ કરવી જોઈએ જેથી કરીને આવી હિંસા માટે ગુનેગારો સામે કેસ કરવામાં આવે. મીડિયા અને વિઝ્યુઅલ્સમાં જે દર્શાવવામાં આવ્યું છે તે ગંભીર બંધારણીય ઉલ્લંઘન અને મહિલાઓને દુષ્કૃત્ય હિંસાના સાધન તરીકે ઉપયોગ કરીને માનવ જીવનનું ઉલ્લંઘન દર્શાવે છે. તે બંધારણીય લોકશાહીની વિરુદ્ધ છે. આ અંગે જે પગલાં લેવામાં આવ્યા છે, તે અંગે અમને જાણ કરવામાં આવે."


4 મેના રોજ બની હતી ઘટના


મણિપુરમાં હાલ જાતિય હિંસા ભડકેલી છે, પરંતું એક વીડિઓને લઈને મણિપુરના પહાડી વિસ્તારોમાં તંગદીલી ફેલાઈ ગઈ છે. જેમાં બે મહિલાઓને નગ્ન કરીને તેમની પરેડ કરાવવામાં આવી હતી. રિપોર્ટ મુજબ આ વીડિયો 4 મેનો છે, અને બંને મહિલાઓ કુકી સમુદાયની છે. જે લોકો મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવી રહ્યા છે તે તમામ મૈતઈ સમુદાયના છે. આદિવાસી સંગઠન ઈંડિજિનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે દોષિતો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.