સજાતીય લગ્નોને કાનુની માન્યતાનો કેન્દ્રએ સુપ્રીમમાં કર્યો વિરોધ, કહ્યું, પારિવારિક ભાવનાની વિરૂધ્ધ


  • Published By :
  • Published Date : 2023-03-12 19:20:29

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સજાતીય લગ્ન (Gay Marriage)ને કાયદાકીય માન્યતા આપતી અરજીનો વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે એક એફિડેવિટ દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવી એ ભારતની સામાજિક માન્યતાઓ અને કુટુંબ વ્યવસ્થાની વિરુદ્ધ હશે. આ સમાજમાં અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાશે. સજાતીય લગ્ન લગ્નની તુલના પતિ-પત્નીથી જન્મેલા બાળકોની વિભાવના સાથે કરી શકાય નહીં.


અરજીઓને ફગાવી દેવાની કરી માગ


કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના સોગંદનામામાં કહ્યું કે સજાતીય લગ્નને કોઈ પણ સંજોગોમાં મંજૂરી આપી શકાય નહીં. આ ભારતીય પરિવારના વિભાવનાની વિરુદ્ધ છે. ભારતમાં, પરિવાર પતિ-પત્ની અને તેમનાથી જન્મેલા બાળકો દ્વારા સંચાલિત થાય છે. સરકારે આ તમામ અરજીઓને ફગાવી દેવાની સુપ્રીમ કોર્ટ સમક્ષ માગ કરી છે. સરકારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે સમલૈંગિક લોકોને જીવનસાથી તરીકે રહેવા માટે ભલે ડિક્રિમિલાઈઝ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ સોમવારે આ મામલે સુનાવણી કરશે.


સરકાર પાસે માગ્યો હતો જવાબ


અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટ સહિત દેશની તમામ હાઈકોર્ટમાં પેન્ડિંગ સમલૈંગિક લગ્ન સંબંધિત અરજીઓને પોતાની પાસે ટ્રાન્સફર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર તરફથી હાજર રહેલા વકીલ અને અરજદારોના વકીલ અરુંધતિ કાત્જુ મળીને તમામ લેખિત માહિતી, દસ્તાવેજો અને જૂના દાખલાઓ એકત્રિત કરે, જેના આધારે સુનાવણી આગળ વધશે.


14 ડિસેમ્બર, 2022 ના રોજ, કોર્ટે સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાની વિનંતી કરતી દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ બે અરજીઓને તેની પાસે ટ્રાન્સફર કરવા અંગે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.