બળજબરીપુર્વક થતાં ધર્માંતરણ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી


  • Published By :
  • Published Date : 2022-11-14 17:20:27


સુપ્રીમ કોર્ટે બળજબરીપુર્વક થતાં ધર્માંતરણ પર ખૂબ જ કડક ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે બળજબરીથી થતું ધર્મ પરિવર્તન એ ખૂબ જ ગંભીર મુદ્દો છે. તેમણે કહ્યું કે તેનાથી દેશની સુરક્ષા અને ધર્મની સ્વતંત્રતા પર પણ અસર પડે છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે તે બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે શું કરી રહી છે. આ સાથે ગેરકાયદે ધર્માંતરણ પર કાયદો બનાવવાની માંગ અંગે 22 નવેમ્બર સુધીમાં જવાબ માંગવામાં આવ્યો છે. આ કેસમાં સુનાવણીની આગામી તારીખ 28 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.


કેન્દ્રએ એફિડેવિટ ફાઇલ કરવી પડશે


સુનાવણી દરમિયાન ટિપ્પણી કરતા, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આદિવાસી વિસ્તારોમાં થઈ રહેલા ધર્મ પરિવર્તન વિશે વાત કરી. આ સાથે જ સરકારને પૂછ્યું કે તે આવા કેસમાં શું પગલા લઈ રહી છે. સોલિસિટર જનરલે એમ પણ કહ્યું કે રાજ્યો પાસે આ મામલે કાયદો હોઈ શકે છે. પરંતુ અમે જાણવા માંગીએ છીએ કે કેન્દ્ર આ મામલે શું કરી રહ્યું છે. બેંચે બળજબરીથી ધર્માંતરણ સામે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા 22 પગલાંની વિગતો આપતું એફિડેવિટ માંગ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.