પંજાબના પૂર્વ CM બિઅંત સિંહનીના હત્યારાને કોઈ રાહત આપવાનો સુપ્રીમનો ઈનકાર


  • Published By :
  • Published Date : 2023-05-03 14:53:44

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યાના દોષિત સામે દેશની સર્વોચ્ચ અદાલતે આકરૂ વલણ અખત્યાર કર્યું છે. સુપ્રીમ કોર્ટે 1995માં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યાના દોષિત બલવંત સિંહ રાજોઆનાને આપવામાં આવેલી ફાંસીની સજામાં ફેરફાર કરવાનો ઇનકાર કર્યો છે. અરજીમાં ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની માંગ કરવામાં આવી હતી. જો કે, કોર્ટે સક્ષમ અધિકારીઓને રાજોઆનાની દયાની અરજી પર જરૂરિયાત મુજબ નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. 


રાજોઆનાએ કરી હતી કમ્યુટેશન અરજી 


અત્રે ઉલ્લેખનિય છે કે, રાજોઆનાએ 26 વર્ષની લાંબી કેદના આધારે તેની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં બદલવાની માંગ કરી હતી. સર્વોચ્ચ અદાલતે ગયા વર્ષે 2 મેના રોજ કેન્દ્રને રાજોઆના દ્વારા દાખલ કરાયેલ કમ્યુટેશન અરજી પર બે મહિનામાં નિર્ણય લેવા જણાવ્યું હતું. જોકે, ગયા વર્ષે 28 સપ્ટેમ્બરે કેન્દ્ર તરફથી કોઈ નિર્ણય ન આવતાં સુપ્રીમ કોર્ટે મામલો પોતાના હાથમાં લીધો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.