ગણતંત્ર દિવસે સની દેઓલે રિલીઝ કર્યું ગદર-2નું પોસ્ટર, બે દાયકા બાદ ફિલ્મની સિક્વલ થશે રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-01-26 14:15:05

ઘણા વર્ષો પહેલા સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર રિલીઝ થઈ હતી. સની દેઓલની આ ફિલ્મે દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. ત્યારે ગદર-2ની ઘણા સમયથી દર્શકો રાહ જોઈ   રહ્યા હતા. ફિલ્મનું અનાઉન્સમેન્ટ બાદ દર્શકોના ઉત્સાહનો પાર નતો રહ્યો. ત્યારે ગણતંત્ર દિવસે ફિલ્મના મેકર્સ તરફથી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. 

20 years of 'Gadar': Anil Sharma walks down the memory lane on his  Partition-drama

સની દેઓલ અને અમિષા પટેલ ફરી દેખાશે મોટા પડદા પર 

સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર ઘણા વર્ષો પહેલા આવી હતી. તેમની જોડી ફરી એક વખત મોટા પડદા પર જોવા મળવાની છે. ગદર-2 ફિલ્મની જાહેરાત થયા બાદ દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોતા હતા. આ બંનેની જોડીએ બોક્સઓફિસ પર ધૂમ મચાવી હતી ત્યારે ફરી એક વખત આ જોડી ધૂમ મચાવા આવી રહી છે.


11 ઓગસ્ટ 2023ના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ

ગદર ફિલ્મ 2001માં રિલીઝ થઈ હતી. અભિનય અને એક્શનને કારણે દર્શકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી. ત્યારે ગણતંત્ર દિવસે ગદર-2ની ફિલ્મનું પોસ્ટર મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પણ ભારત પાકિસ્તાનના એન્ગલને આગળ વધારવામા આવશે અને તેના પરિવારની સુરક્ષાની આસપાસ રહેશે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થવાની છે.        


સની દેઓલે શેર કર્યું ફિલ્મનું પોસ્ટર 

પોસ્ટર શેર કરતા સની દેઓલે લખ્યું કે હિંદુસ્તાન જીંદાબાદ છે, જીંદાબાદ હતું અને જીંદાબાદ રહેશે. બે દાયકા બાદ મોટા પડદા પર ફિલ્મની સિક્વલ આવી રહી છે. શૂટિંગ સમયના અનેક ફોટા વાયરલ થયા હતા જે બાદ ફિલ્મને જોવાની આતુરતા ફેન્સમાં વધી ગઈ છે. આ ફિલ્મમાં તારા સિંહની ભૂમિકા સની દેઓલ અને સકીનાની ભૂમિકા અમિષા પટેલ ભજવી રહ્યા છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે