સની દેઓલ ગુમ થયાના પોસ્ટર પઠાણકોટમાં લાગ્યા, BJP સાંસદ સામે લોકોમાં રોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 19:14:24

પંજાબના પઠાણકોટમાં બીજેપી સાંસદ અને બોલિવૂડ એક્ટર સની દેઓલના ગુમ થવાના પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે. સાંસદના ગુમ થવાના આ પોસ્ટરો શહેરના કેટલાય ઘરો, રેલવે સ્ટેશનો અને વાહનોની દિવાલો પર ચોંટાડવામાં આવ્યા છે. સની દેઓલ ગુરદાસપુર લોકસભા સીટથી સાંસદ છે. 2019માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા છે. પોસ્ટર ચોંટાડનારાઓનું કહેવું છે કે સની દેઓલ સાંસદ બન્યા બાદ ક્યારેય ગુરદાસપુર આવ્યા નથી.


ગુરદાસપુરમાં લોકોમાં ભારોભાર આક્રોશ 


સની દેઓલનો વિરોધ કરી રહેલા એક સ્થાનિકે કહ્યું કે, તે સાંસદ બન્યા બાદ ક્યારેય ગુરદાસપુર આવ્યા નથી. તે પોતાને પંજાબનો દીકરો ગણાવે છે પરંતુ તેમણે કોઈ વિકાસનું કામ કર્યું નથી, ફંડ ફાળવ્યું નથી, કેન્દ્ર સરકારની કોઈ યોજના અહીં લાવ્યા નથી. જો તેઓ કામ કરવા માંગતા ન હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.