સુનિતા વિલિયમ્સે કેમ NASAના રીહેબીલીટેશન કાર્યક્રમમાં જવું પડ્યું?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-21 13:48:38

 ૫૯ વર્ષના સુનિતા વિલિયમ્સ ૯ મહિનાની લાંબી અવકાશયાત્રા કરીને ધરતી પર પાછા ફર્યા છે .  આ અવકાશયાત્રા દરમ્યાન એક વિક્રમ પણ સ્થાપિત કર્યો છે . તેઓ અવકાશમાં સૌથી વધારે સ્પેસવોક કરનારા બીજા નંબરના અવકાશયાત્રી બન્યા છે . પરંતુ આ અવકાશયાત્રા દરમ્યાન તેમના શરીરને ઘણી આડઅસરો પહોંચી છે . જેની રિકવરી આવતા ખુબ લાંબો સમય લાગી શકે છે . ગુજરાતના દીકરી સુનિતા વિલિયમ્સ ધરતી પર પરત ફરવાની રાહ સમગ્ર ભારતે ખુબ આતુરતાથી જોઈ હતી . સુનિતા વિલિયમ્સ આ પેહલા પ્રથમવાર ૨૦૦૬-૨૦૦૭માં ૧૯૬ દિવસ માટે અવકાશમાં ગયા હતા આ પછી તેઓ ફરીવાર ૨૦૧૨માં ૧૨૭ દિવસ માટે અવકાશમાં ગયા હતા. જોકે આ તેમનો ત્રીજો અવકાશ પ્રવાસ ખુબ જ લાંબો હતો . 

Sunita Williams - Wikipedia

હવે આપણે જોઈએ કે , અંતરિક્ષમાં ખુબ લાંબા સુધી રહેવા પર સુનિતા વિલિયમ્સના શરીર પર શું અસરો થઈ છે . તેમની માંસપેશીઓનું વજન ઓછું થયું છે કેમ કે આ માંસપેશીઓ માઇક્રોગ્રેવીટીમાં ક્ષમતા પૂર્વક કામ ના કરી શકે. સુનિતા વિલિયમ્સનું હૃદય પણ નબળું પડ્યું છે . આપણું હૃદય પણ માંસપેશીઓથી બનેલું છે અને હૃદય માઇક્રોગ્રેવીટીમાં એટલી મેહનત નથી કરતુ . જોકે સુનિતા વિલિયમ્સ પોતાના હૃદયની તંદુરસ્તી માટે ૯૦ મિનિટથી બે કલાક સુધી અવકાશમાં એક્સરસાઇઝ કરતા હતા . બોઇંગ સ્ટારલાઈનરમાં તકનીકી ખરાબી આવતા એવું નક્કી થઈ ગયું કે તેમણે ખુબ લાંબા સમય સુધી અવકાશમાં રોકાવું પડશે. પરંતુ , આ પછી સુનિતા વિલિયમ્સે ખુબ જરૂરી વિજ્ઞાનના પ્રયોગો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાથ ધર્યા હતા . અવકાશમાં માઇક્રોગ્રેવીટીમાં રહેવાથી તમારી ઉમર ઝડપથી વધતી હોય છે . ધરતી પર પાછા ફર્યા બાદ કોઈ પણ અવકાશયાત્રીને નોર્મલ લાઈફમાં પાછા ફરતા વાર લાગી શકે છે . સુનિતા વિલિયમ્સ નાસાના ૪૫ દિવસ લાંબા રિહેબિલિટેશન કાર્યક્રમમાં જશે જ્યાં તેઓ સતત ડોક્ટર્સની દેખરેખમાં રહેશે . અહીં તેમના ઘણા મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે સાથે જ રોજ બે કલાકની ફિઝિકલ થેરાપી આપવામાં આવશે . 

Sunita Williams, Butch Wilmore's 45-day rehabilitation: How NASA astronauts  will adjust to life on Earth | World News - The Indian Express

૪૫ દિવસનો નાસાનો રિહેબિલિટેશનનો કાર્યક્રમ ૩ ચરણમાં હશે . પેહલા ચરણ અંતર્ગત તેમની માંસપેશીઓને મજબૂત કરવા લો ઇન્ટેન્સિટીવાળી શારીરિક એક્સરસાઇઝ કરાવડાવવામાં આવશે અને હળવી ફિઝિકલ થેરાપી આપવામાં આવશે . બીજા ચરણમાં હૃદયની સ્થિતિ સુધારવા પર ધ્યાન આપવામાં આવશે . માઇક્રોગ્રેવીટીમાં રહેવાથી હૃદયના સ્નાયુઓમાં સંકોચન આવે છે . માટે આ ચરણમાં ટ્રેડમિલ એક્સરસાઇઝ , સ્ટેશનરી બાઈક અને રેસિસ્ટંસ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવશે . નાસાના આ પોસ્ટ રિહેબિલિટેશનનો ત્રીજો ચરણ સૌથી લાંબો હશે જેમાં સુનિતા વિલિયમ્સની શારીરિક ક્ષમતા પ્રી-ફ્લાઇટ કન્ડિશનમાં પાછી લાવવામાં આવશે.  

What Is NASA? (Grades 5-8) - NASA

કોઈ પણ અવકાશયાત્રી માટે માઇક્રોગ્રેવીટીમાંથી , પૂર્ણ ગ્રેવીટીમાં આવવું એ ખુબ ચેલેંજિંગ હોય છે . સુનિતા વિલિયમ્સ પર કોઈ પણ અપડેટ માટે જોતા રહો જમાવટ .  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!