સુનિલ ગાવસ્કર ટીમ ઈન્ડિયા પર વિફર્યા, 'તમે IPL રમો છો, ત્યારે વર્કલોડ નહીં, તો ભારત માટે શા માટે?


  • Published By :
  • Published Date : 2022-11-12 15:21:47

ટી20 વર્લ્ડ કપમાંથી ભારતીય ક્રિકેટ ટીમ ફેંકાઈ ગયા બાદ સિનિયર ક્રિકેટર સુનિલ ગાવસ્કર પર ટીમ પર ભડક્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે  ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના વર્ક લોડ અંગેના બહાનાના પર જબરદસ્ત આક્રોસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ખેલાડીઓ જ્યારે ખેલાડીઓ IPL રમે છે ત્યારે બધુ જ સારૂ હોય છે પરંતું જેવા જ તે ભારત માટે રમે છે ત્યારે  તેમને વર્કલોડ યાદ આવી જાય છે. 


શું કહ્યું સુનિલ ગાવસ્કરે?


સુનીલ ગાવસ્કરે કહ્યું, 'તમે IPL રમો છો. આખી સીઝન રમો, ત્યાં તમે મુસાફરી કરો છો. માત્ર છેલ્લી આઈપીએલ ચાર કેન્દ્રોમાં થઈ હતી, બાકી બધે તમે આમ તેમ દોડતા રહો છો. ત્યાં તમે થાકતા નથી? ત્યાં કોઈ વર્કલોડ નથી હોતો? જ્યારે તમારે ભારત માટે રમવાનું હોય છે ત્યારે જ, તે પણ જ્યારે તમારે નોન-ગ્લેમરસ દેશોમાં રમવા જાઓ છો, ત્યારે તમારો વર્ક લોડ વધી જાય છે? આ ખોટું છે.'


ન્યૂઝીલેન્ડ સામેની સિરિઝમાં સિનિયર ખેલાડીઓનો અભાવ


ભારતીય ક્રિકેટ ટીમ હવે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરવાની છે. 17 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ શરૂ થશે. આ સીરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી, અને કેએલ રાહુલ સહિતના સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ગાવસ્કરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બીસીસીઆઈએ આ ખેલાડીઓને આટલી બધી છુટ ન આપવી  જોઈએ.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે