ઉનાળુ વેકેશનના વિદેશ પ્રવાસ માટે ખીસ્સું વધારે ઢીલું કરવું પડશે, ફોરેન ટૂર 30 ટકા મોંઘી થઈ


  • Published By :
  • Published Date : 2023-02-12 16:12:43

ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે વિદેશ પ્રવાસ કરવાની ઈચ્છા હોય તો ખીસ્સું ઢીલું કરવાની તૈયારી રાખજો. આ વખતે ઉનાળું વેકેશનની મજા માણનારા લોકોને ટિકિટ ઉપરાંત હોટેલ તથા મોંઘી સર્વિસનો સામનો કરવો પડશે. આ વખતે વિદેશ વેકેશનનો સરેરાશ 15 થી 30 ટકા મોંઘા બને તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 


શા માટે વિદેશ યાત્રા મોંઘી થયો?


વિદેશ પ્રવાસના શોખિનો માટે આ વખતે વિદેશ પ્રવાસ મોંઘો થવાનું મુખ્ય કારણ વિદેશ પ્રવાસનાં વધતા ખર્ચનું મુખ્ય કારણ ભારતીય ચલણમાં ઘસારો છે. અમેરિકાનો ડોલર તથા યુરોપિયન યુનિયનની કરન્સી યુરો સામે છેલ્લા એક વર્ષમાં ભારતીય રૂપિયો નબળો પડયો હોવાના કારણે એક માસ પૂર્વેની સ્થિતિ થતા આ વખતે ઉનાળા વેકેશનમાં વિદેશ પ્રવાસનો ખર્ચ વધી ગયો છે. વિમાની ઈંધણમાં ભાવ વધારાથી ફલાઈટના ભાડા પણ મોંઘા બન્યા છે. ડોલર સામે ભારતીય રૂપિયો એક વર્ષમાં 75.1 ઘટીને 82.50 થયો છે, તેના પરીણામે વિદેશ પ્રવાસો 15 થી 30 ટકા મોંઘા બન્યા છે. 


વિદેશ પ્રવાસ કેટલો મોંઘો થયો 


ડોલર અને યુરો સહિતના મુખ્ય ચલણ સામે રૂપિયો નબળો પડતા વિવિધ દેશોની મુલાકાત લેવી મોંઘી બની છે. ગત વર્ષે ફ્રાંસ-સ્વીઝર્લેન્ડના સાત-આઠ દિવસનો પેકેજનો ખર્ચ રૂા.1.70 લાખ હતો તે આ વર્ષે વધીને બે લાખે પહોંચ્યો છે આજ રીતે મલેશીયા-સિંગાપોરનું પેકેજ એક લાખવાળુ હવે 1.30 લાખનું થવા જાય છે. ઉનાળુ વેકેશનમાં અમેરીકા તથા યુરોપ હોટ સ્પોટ હોય છે. તે ઉપરાંત સિંગાપોર, વિયેતનામ, મલેશીયા, થાઈલેન્ડ, દુબઈ, કંબોડીયા તરફ પણ ઘસારો હોય છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.