સુરતમાં ભરઉનાળે અષાઢી માહોલ, લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી


  • Published By :
  • Published Date : 2023-04-18 18:56:38

રાજ્યના હવામાનમાં ફરી એક વખત પલટો જોવા મળ્યો છે, હવામાન વિભાગે પણ આ અંગે આગાહી મુજબ સુરત શહેરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. શહેરના તમામ વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર  કમોસમી વરસાદ વરસ્યો છે. શહેરમાં બપોર બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ થતા લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી છે.


લોકો આશ્ચર્યમાં મુકાયા


સુરતના હવામાનમાં બપોર બાદ અચાનક જ ફેરફાર થતાં લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. જો કે કેટલાક લોકો માર્ગો પર રીતસર અટવાઈ ગયા હતા. સુસવાટા મારતા પવન સાથે માવઠું થતાં શહેરના માર્ગો ભીના થયા હતા. ક્યાંક ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સમગ્ર શહેરમાં ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં ભર બપોરે 12 વાગ્યા બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ કેટલાક ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું.


કાળઝાળ ગરમીથી રાહત


સુરતમાં માવઠું થતાં ઉનાળાના આકરા તાપ અને ઉકળાટથી લોકોએ રાહત અનુભવી હતી. બપોર બાદથી સમગ્ર શહેરમાં વરસાદી ઝાપટું પડી રહ્યું છે. દરમિયાન બપોર બાદ અચાનક જ શહેરના તમામ વિસ્તારોમાં ગાજવીજ અને પવનના સૂસવાટા સાથે વરસાદ વરસતા અનેરી ઠંડક પ્રસરી હતી. શહેરમાં ઉનાળો જાણે ગાયબ થઈ ગયો હોય અને ચોમાસા જેવી ઠંડક સમગ્ર શહેરમાં ફેલાઈ છે.


ખેડૂતોની ચિંતા વધી


સુરતના માંગરોળ અને લિંબાયત તાલુકાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે. માંગરોળ અને લિંબાયતમાં ભરઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો છે. બન્ને તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે. સુરતના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ચૈત્ર મહિનાના અંતમાં અષાઢી માહોલ છવાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતીના વિવિધ પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.