સુખવિંદરસિંહ સુક્ખુ આવ્યા કોરોનાની ઝપેટમાં, પીએમ સાથે કરવાના હતા મુલાકાત


  • Published By :
  • Published Date : 2022-12-19 11:28:18

થોડા સમય પહેલા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી બનેલા સુખવિંદરસિંહ સુક્ખુ કોરોના સંક્રમિત થયા છે. સોમવારે સુક્ખુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાની હતી જેને કારણે રવિવારે તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રવિવાર સાંજે ટેસ્ટનો રિપોર્ટ આવ્યો. તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના સંક્રમિત હોવાને કારણે સુખવિંદર સુક્ખુ પ્રધાનમંત્રી સાથે મુલાકાત નહીં કરી શકે. 


પીએમ સાથે કરવાના બેઠક 

સુખવિંદરસિંહ સોમવારે પીએમ મોદી સાથે બેઠક કરવાના હતા. પીએમ સાથે બેઠક હોવાને કારણે તેમનો સેંપલ લેવામાં આવ્યું હતું. અને રવિવાર સાંજે તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો. કોરોના સંક્રમિત હોવાને કારણે તેઓ પીએમ મોદી સાથે બેઠક નહી કરી શકે. થોડા સમય પહેલા જ સુખવિંદર સુક્ખુ ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. 


સાવચેતીના ભાગરૂપે સીએમ રહેશે ક્વોરન્ટાઈન 

કોરોના સંક્રમિતની વાતને લઈ રાજ્ય સરકારે જણાવ્યું છે કે મુખ્યમંત્રી સુખવિંદર સુક્ખુ  સાવચેતીના ભાગરૂપે મુખ્યમંત્રી ક્વોરન્ટાઈન રહેશે અને તેમના દરેક કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. સીએમમાં કોરોનાના કોઈ પણ લક્ષણ દેખાયા ન હતા. કોરોના સંક્રમિત હોવાને કારણે તેઓ પીએમ સાથે મુલાકાત નહીં કરે. ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કેબિનેટ વિસ્તરણ પણ હાલ નહીં કરવામાં આવે.    




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.