વિપક્ષી નેતા સુખરામ રાઠવાને લઈ ગરમાયું અટકળોનું બજાર, ગમે ત્યારે ધારણ કરી શકે છે કેસરિયો


  • Published By :
  • Published Date : 2022-11-13 09:39:05

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ એકબાદ એક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. કોંગ્રેસનો સાથ છોડી અનેક નેતાઓ ભાજપ અથવા આપમાં જઈ રહ્યા છે તો ભાજપમાંથી પણ અનેક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. આવી સ્થિતિ આમ આદમી પાર્ટીમાં પણ જોવા મળી રહી છે. ત્યારે ચૂંટણી સમયે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. કારણ કે સુખરામ રાઠવાના જમાઈ રાજેન્દ્રસિંહ રાઠવાને ભાજપે ટિકિટ આપી છે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે સુખરામ રાઠવા પણ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. 

Most of Gujarat Cong sitting MLAs to play in 'last and final over': Sukhram  Rathva – Navjeevan Express

કોંગ્રેસને લાગી શકે છે વધુ એક ઝટકો 

ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપે, કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. અનેક નેતાઓને ટિકિટ ન મળતા તેઓ પાર્ટીથી નારાજ થઈ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓએ ચૂંટણી સમયે જ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. ત્યારે ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક ફટકો પડી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવા ગમે તે ક્ષણે ભાજપમાં જોડાઈ શકે છે. 

Rajendrasinh Rathva Archives - ગુજરાત તક

જમાઈને સમર્થન આપવા જોડાઈ શકે છે ભાજપમાં 

કોંગ્રેસે ગઈ કાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો, આ સમય દરમિયાન અનેક નેતાઓ હાજર હતા પરંતુ વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાની ગેરહાજરી દેખાતી હતી. આવા સમયે તેમની ગેરહાજરીથી અનેક તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યા છે અને અટકળોના બજારોમાં એવી વાતો વહેતી થઈ રહી છે કે સુખરામ રાઠવા પણ કેસરિયો ધારણ કરવાના છે. કારણ કે તેમના જમાઈ અને છોટા ઉદેપુરના દિગ્ગજ નેતાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ભાજપે ટિકિટ આપી છે. રાજેન્દ્ર રાઠવાએ પણ થોડા સમય પહેલા જ કેસરિયો ધારણ કર્યો હતો આને કારણે એવી વાત વહેતી થઈ રહી છે કે જમાઈને સાથ આપવા તે પણ ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે તે સાચે ભાજપમાં જોડાવાના છે કે આ વાતો માત્ર અફવા છે તે આવનાર સમયમાં ખબર પડશે.        



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!