Sukhdev Singh Gogamediના નશ્વરદેહને રાજપૂત સભા ભવન ખાતે લવાયો, અંતિમ દર્શન માટે ઉમટી લોકોની ભીડ


  • Published By :
  • Published Date : 2023-12-07 13:26:10

કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા જયપુરમાં સ્થિત તેમના જ ઘરમાં કરવામાં આવી. હત્યાના સમાચાર મળતા જ રાજપૂત સમાજના લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. રાજસ્થાન બંધનું એલાન કરવામાં આવ્યું. ગઈકાલે રાજસ્થાનમાં હત્યાને લઈ ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રસ્તા પર બેસી સમાજના લોકોએ રોષ વ્યક્ત કર્યો. અંતિમ સંસ્કાર માટે સુખદેવ સિંહના શરીરને તેમના વતન લઈ જવાશે. રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ ગોગામેડીના મૃતદેહને જયપુરમાં રાજપૂત સભા ભવનમાં રખાયો. તેમના અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. પૈતૃક વતનમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ભવાની નિકેતન સ્કૂલ અને કોલેજમાં લોકોના અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો છે. 

અશોક ગેહલોતનો ઉલ્લેખ શીલા શેખાવત દ્વારા કરવામાં આવ્યો! 

સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાન તેમજ દેશના અનેક રાજ્યોમાં તેમના સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનમાં બંધનું એલાન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં લોકોએ વિરોધમાં ભાગ લીધો. તેમની હત્યાને કારણે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે અને તેમની પત્નીનો પણ હુંકાર જોવા મળ્યો છે. આ મામલે એસઆઈટીની રચના કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. વિરોધ પ્રદર્શનને સંબોધિત કરતી વખતે ગોગામેડીની પત્ની શીલા શેખાવતે હુંકાર ભરી હતી. આ કેસમાં દાખલ કરાયેલી FIRમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમજ ડીજીપીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંને પર સુરક્ષા પુરી પાડવામાં બેદરકારી દાખવી હોવાનો આરોપ છે. 


એફઆઈઆરમાં શું કરાયો છે ઉલ્લેખ? 

જે FIR દાખલ કરવામાં આવી છે તેમાં એવો દાવો કરાયો છે કે, ગોગામેડીને સુરક્ષા આપવામાં આવે તે માટે 3 વખત 24 ફેબ્રુઆરી, 1 માર્ચ અને 25 માર્ચે રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને DGPને પત્ર લખ્યો હતો. પરંતુ તેમણે જાણીજોઈને સુરક્ષા પુરી ન પાડી. આ એફઆઈઆર તેમના પત્ની શીલા શેખાવત દ્વારા કરવામાં આવી છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!