Sukhdev Singh Gogamedi Murder Case: Rajasthanમાં બંધનું એલાન, ગોળી મારનાર શખ્સોની થઈ ઓળખ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-06 12:06:58

રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા ગઈકાલે કરવામાં આવી હતી. મંગળવારે ધોળા દિવસે હુમલાખોરોએ ગોગામેડી પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા. હત્યાના સમાચાર સાંભળી રાજપૂત સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ. હત્યાના વિરોધમાં રાજસ્થાનમાં બંધનું એલાન આપ્યું છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે પોલીસે બે શૂટર્સની ધરપકડ કરી છે તેવી માહિતી સામે આવી છે. 

આજે રાજસ્થાન બંધનું આપ્યું છે એલાન!

ગઈકાલથી એક સમાચારને લઈ હડકંપ મચી ગયો હતો, દરેક જગ્યા પર એની ચર્ચા થઈ રહી હતી. રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરાઈ. ગાર્ડ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક હુમલાખોરનું પણ મોત થયું હતું. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કામ કરનાર ગેંગસ્ટર રોહિત ગોદારાએ હત્યાની જવાબદારી લેતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી. ગોગામેડીને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ગોગામેડી સાથેની ઘટના વખતે હાજર રહેલા અજિત સિંહને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા હતા. હત્યાના સમાચાર મળતા જ ગોગામેડીના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે.


બે શૂટર્સની પોલીસે કરી ધરપકડ! 

હત્યા મામલે એક નવી અપડેટ સામે આવી છે જે મુજબ આ કેસમાં પોલીસે બે શૂટર્સની ધરપકડ કરી છે. પરંતુ હત્યા મામલે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે તેવી માહિતી સામે આવી છે.  માહિતી અનુસાર હત્યાના આરોપી નવીનને તેમની સાથે ગોગામેડીના ઘરે લઈને ગયા હતા. નવીનના મોત બાદ પોલીસે તેના પરિવારથી જાણકારી લઈને કાર્યવાહી કરી છે. પોલીસે જે વ્યક્તિઓની ધરપકડ કરી છે તેમની ઓળખ જાહેર કરવામાં આવી છે. ત્યારે મળતી માહિતી અનુસાર સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે પોલીસે જયપુરના ઝોટવાડાના રહેવાશી રોહિત રાઠોડની તેમજ હરિયાણાના મહેન્દ્રગઢના નિતિન ફૌજીની પણ ધરપકડ કરી છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.