Sukhdev Singh Gogamedi Murder Case: Rajasthanમાં બંધનું એલાન, ગોળી મારનાર શખ્સોની થઈ ઓળખ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-06 12:06:58

રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા ગઈકાલે કરવામાં આવી હતી. મંગળવારે ધોળા દિવસે હુમલાખોરોએ ગોગામેડી પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા. હત્યાના સમાચાર સાંભળી રાજપૂત સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ. હત્યાના વિરોધમાં રાજસ્થાનમાં બંધનું એલાન આપ્યું છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે પોલીસે બે શૂટર્સની ધરપકડ કરી છે તેવી માહિતી સામે આવી છે. 

આજે રાજસ્થાન બંધનું આપ્યું છે એલાન!

ગઈકાલથી એક સમાચારને લઈ હડકંપ મચી ગયો હતો, દરેક જગ્યા પર એની ચર્ચા થઈ રહી હતી. રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરાઈ. ગાર્ડ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક હુમલાખોરનું પણ મોત થયું હતું. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કામ કરનાર ગેંગસ્ટર રોહિત ગોદારાએ હત્યાની જવાબદારી લેતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી. ગોગામેડીને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ગોગામેડી સાથેની ઘટના વખતે હાજર રહેલા અજિત સિંહને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા હતા. હત્યાના સમાચાર મળતા જ ગોગામેડીના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે.


બે શૂટર્સની પોલીસે કરી ધરપકડ! 

હત્યા મામલે એક નવી અપડેટ સામે આવી છે જે મુજબ આ કેસમાં પોલીસે બે શૂટર્સની ધરપકડ કરી છે. પરંતુ હત્યા મામલે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે તેવી માહિતી સામે આવી છે.  માહિતી અનુસાર હત્યાના આરોપી નવીનને તેમની સાથે ગોગામેડીના ઘરે લઈને ગયા હતા. નવીનના મોત બાદ પોલીસે તેના પરિવારથી જાણકારી લઈને કાર્યવાહી કરી છે. પોલીસે જે વ્યક્તિઓની ધરપકડ કરી છે તેમની ઓળખ જાહેર કરવામાં આવી છે. ત્યારે મળતી માહિતી અનુસાર સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે પોલીસે જયપુરના ઝોટવાડાના રહેવાશી રોહિત રાઠોડની તેમજ હરિયાણાના મહેન્દ્રગઢના નિતિન ફૌજીની પણ ધરપકડ કરી છે.  



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.