જેલમાં બંધ મહાઠગ સુકેશ પાસેથી મળી 1.5 લાખની ચપ્પલ અને 80 હજારની જીન્સ


  • Published By :
  • Published Date : 2023-02-23 14:13:19

મહાઠગ સુકેશ ચંદ્રશેખર રૂ. 200 કરોડની ઠગાઈ અને છેંતરપિંડીના કેસમાં છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે. જો કે જેલમાં પણ તેની લાઈફસ્ટાઈલમાં કોઈ ફરક પડ્યો નથી.જેલ અધિકારીઓએ અચાનક જ તેની સેલમાં રેડ પાડતા સુકેશની બધી પોલ ખુલી ગઈ છે. તેના સેલમાંથી દોઢ લાખ રૂપિયાના ચપ્પલ અને 80 હજારની બે જિન્સ સહિત અનેક લક્ઝરી ચીજો જપ્ત કરી છે. જેલના જ કર્મચારીઓની રહેમ નજર હેઠળ આ ગોરખધંધા ચાલતા હતા.


લક્ઝુરિયસ બ્રાન્ડની વસ્તુઓ મળી


પોલીસ અધિકારી દીપક શર્મા અને જયસિંહ જ્યારે સીઆરપીએફ સાથે સુકેશના સેલમાં પહોંચ્યા તો સુકેશ સ્તબ્ધ થઈ ગયો. વીડિયોમાં તેના સેલમાં ઘણી બધી સામગ્રી જોવા મળી હતી. દરોડામાં પોલીસને સુકેશના સેલમાંથી વિવિધ મોટી લક્ઝુરિયસ બ્રાન્ડનો સામાન મળી આવ્યો છે, તેને જોઈને અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેની પાસેથી 1.5 લાખ રૂપિયાના ગૂચી ચપ્પલ અને 80 હજાર રૂપિયાની કિંમતના બે જીન્સ મળી આવ્યા છે. દરોડા દરમિયાન સુકેશ રડવા લાગ્યો હતો.


સુકેશ પર શું આરોપ છે?


મહાઠગ સુકેશ ચંદ્રશેખરને ખંડણી અને મની લોન્ડરિંગના અન્ય એક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નવ દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે. ED દ્વારા દાખલ કરાયેલ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ (ECIR) માં તેની ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવાય છે. તેના પર માલવિંદર સિંહની પત્ની જપના સિંહ સાથે 3.5 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાનો આરોપ છે. ફરિયાદી અનુસાર, ચંદ્રશેખરે વરિષ્ઠ સરકારી અધિકારી તરીકે જપના એમ. સિંહને બોલાવીને તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા. પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિકે તેને 9 દિવસના ED રિમાન્ડ પર મોકલી દીધો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.