બનાસકાંઠાના માલગઢમાં પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતાં પિતાનો આપઘાતનો પ્રયાસ, 5 શખ્સો સામે ફરિયાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 14:39:02

રાજ્યમાં ડીસા તાલુકાના માલગઢમાં ધર્મ પરિવર્તન કરી ચુકેલી પત્ની,પુત્રી અને પુત્રની હેરાનગતિથી ત્રાસેલા પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા હડકંપ મચ્યો છે. આત્મહત્યાનો પ્રયાસ કરનારા હરેશભાઇ સોલંકીના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવતા પોલીસે 5 લોકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની વિગત એવી છે કે રાજપુર ગવાડી ગામના એક વિધર્મી યુવકે હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ધર્મપરિવર્તન કરાવ્યું હતું. રસાણા કોલેજમાં અભ્યાસ કરતી માલગઢની યુવતી નેહા સોલંકી સાથે એજાજ શેખે પ્રેમ લગ્ન કર્યા હતા, બાદમાં યુવતીની માતા અને ભાઇને ધર્મ પરિવર્તન કર્યું હતું. એજાજ શેખે યુવતીના ભાઈ પાસે હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરાવી ત્રણેને અલગ રહેવા માટે 25 લાખની માંગણી કરતા યુવતીના પિતાએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.


5 લોકો સામે ફરિયાદ 


પરિવારમાં ધર્મ પરિવર્તન  થતા પિતા હરેશભાઇ સોલંકીને ખુબ જ આઘાત લાગ્યો હતો. તેમાં પણ પુત્રએ તેમની સામે હાઈકોર્ટમાં અરજી કરી 25 લાખની માંગણી કરતા કંટાળેલા પિતાએ પાલનપુરમાં ઝેરી પ્રવાહી પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિવારે પાલનપુર પૂર્વ પોલીસ મથકે એજાજ મુસ્તુફાભાઈ શેખ, મુસ્તુફા પાપાભાઇ શેખ, આલમ પાપાભાઇ શેખ, સત્તાર અબ્દુલભાઈ હાજી અને સોહીલ સત્તારભાઈ શેખ સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપીઓ વિરૂધ્ધ પોલીસે આત્મહત્યા માટે મજબુર કરવા, બળજબરી પૂર્વક નાણા પડાવવા, મદદગારી સહિતની કલમો 306,511, 384,506.1 અને 114 મુજબ ગુનો નોંધ્યો હતો. 



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.