Dangal Filmમાં નાની બબિતાનો રોલ નિભાવનાર Suhani bhatnagarનું 19 વર્ષે થયું નિધન, ફિલ્મ જગતમાં વ્યાપી ઉઠ્યો શોક....


  • Published By :
  • Published Date : 2024-02-17 16:30:52

થોડા વર્ષો પહેલા દંગલ ફિલ્મ આવી હતી જે કુસ્તીબાજના જીવન પર આધારીત હતી. આમિર ખાનની ફિલ્મમાં આમિર ખાનની નાની દીકરીનો રોલ નીભાવનાર 19 વર્ષીય સુહાની ભટનાગરનું બિમારી બાદ નિધન થઈ ગયું છે. 19 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દેતા બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. શનિવારે સુહાની ભટનાગરે અંતિમ શ્વાસ લીધા હતા. એવી માહિતી સામે આવી છે કે ખોટી ટ્રીટમેન્ટ થવાને કારણે તેમનું નિધન થયું છે. સુહાનીએ દંગલ ફિલ્મમાં નાની બબીતાનો રોલ નિભાવ્યો હતો.  

19 વર્ષે સુહાનીએ દુનિયાએ કહી દીધું અલવિદા!

ફિલ્મ જગતથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. 19 વર્ષની ઉંમરે એક્ટ્રેસે દુનિયાને અલવિદા કહી દીધી છે. એવી માહિતી સામે આવી છે કે ખોટી સારવાર મળવાને કારણે તેમનું નિધન થયું છે. ઘણા સમયથી દિલ્હીની હોસ્પિટલમાં તે સારવાર લઈ રહ્યા હતા. એવી માહિતી સામે આવી છે કે તેમના અંતિમ સંસ્કાર ફરીદાબાદમાં કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર થોડા સમય પહેલા સુહાનીમાં પગમાં ફેક્ચર થયું હતું. તેની સારવાર માટે તે દવાઓ લઈ રહી હતી. તે દવાઓની સાઈડ ઈફેક્ટ થઈ જેને કારણે શરીરમાં પ્રવાહી પદાર્થ જમા થઈ ગયું હતું જેને કારણે તેનું નિધન થઈ ગયું.


દંગલ ફિલ્મમાં થયા હતા સુહાનીના અભિનયના વખાણ!

નાની ઉંમરે સુહાની ભટનાગરનું નિધન થઈ જતા બોલિવુડ જગતમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. વર્ષ 2016માં સુહાની ભટનાગરે ફિલ્મ 'દંગલ' દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આમાં તેણે આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરી હતી. પ્રેક્ષકોએ ગીતા અને બબીતાના પાત્રો ભજવતા બંને બાળ કલાકારોના અભિનયના વખાણ કર્યા હતા પરંતુ ભણતરને કારણે તે ફિલ્મ ઈન્ડસ્ટીથી દૂર રહ્યા હતા. દંગલ ફિલ્મમાં આમિર ખાન, સાક્ષિ તનવર, જાયરા વસીમ જેવા કલાકારો હતા. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે