કેન્દ્ર સરકારની છૂટના કારણે દક્ષિણ ગુજરાતના શેરડી પકાવતા લોકોને થશે ફાયદો


  • Published By :
  • Published Date : 2022-11-10 18:42:43

કેન્દ્ર સરકારે 31 મે 2023 સુધી ખાંડના નિકાસને છૂટ આપી દીધી છે. કેન્દ્ર સરકારે કુલ ઉત્પાદનના 18.23 ટકા ખાંડની નિકાસ કરવા માટે મંજૂરી આપી દીધી છે. ભારતમાં હવે ખાંડ પૂરતી માત્રમાં હોવાના કારણે અન્ન-પુરવઠા નાગરિક મંત્રાલયે નિર્ણય લીધો છે. ખાંડની નિકાસની છૂટ આપવાના કારણે હવે દક્ષિણ ગુજરાતના શેરડી નિકાસ કરતા લોકોને અને ખાંડનું ઉત્પાદન કરતા લોકોને ફાયદો થશે. દક્ષિણ ગુજરાત વિસ્તારની 15 સુગર મીલોમાંથી 1.93 લાખ ટન ખાંડની નિકાસ થશે તેવી શક્યતા વર્તાઈ રહી છે. 


દક્ષિણ ગુજરાતની સુગર મીલોને થશે ફાયદો

દક્ષિણ ગુજરાતની મીલોમાં બારડોલી સુગર મીલનો ક્વોટા સૌથી વધુ છે. બારડોલી સુગરને  તેત્રીસ હજાર ટન ખાંડ નિકાસ કરવાની છૂટ આપવામાં આવી છે. ગુજરાતમાં ખાંડ ઉત્પાદનનો સમય છે ત્યારે લોકો પાસે જૂનો સ્ટૉક પડ્યો હશે. આ સ્ટૉક વેંચીને દક્ષિણ ગુજરાતના શેરડી પકાવતા લોકોને બમણો ફાયદો થઈ શકે તેવી શક્યતાઓ છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.