કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો, અમદાવાદમાં વધુ 49 કેસો નોંધાયા


  • Published By :
  • Published Date : 2023-03-17 20:20:31

રાજ્યમાં કોરોનાના કેસ દિનપ્રતિદિન સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 121 દર્દી નોંધાયા છે. જેને લીધે હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 521 થઈ છે. સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 49 કેસ નોંધાયા છે, અને આના કારણે અમદાવાદમાં કુલ કોરોનાના કેસોની સંખ્યા 111 જેટલી થઈ ગઈ છે.

અમદાવાદમાં કોરોનાનાની સાથે H3N2 વાયરસના કેસોમાં પણ ઉછાળો

અમદાવાદમાં કોરોનાની સાથે સાથે નવો એક વાયરસ પણ કહેર મચાવી રહ્યો છે, જેનું નામ છે H3N2 વાયરસ. અમદાવાદમાં માર્ચ મહિનામાં H3N2ના કુલ 4 જેટલા કેસો નોંધાયા છે , જેને કારણે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ટૂંક સમયમાં સંજીવની રથ શરુ કરી શકે છે. આ ઉપરાંત શહેરમાં રેપિડ ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવી છે. 

આજે રાજ્યોના અન્ય જિલ્લાઓમાં નોંધાયા આટલા કેસ 

ગુજરાત રાજ્યમાં અમદાવાદ સિવાય આજે રાજકોટમાં 12, સુરતમાં 12, મહેસાણામાં 11, રાજકોટમાં જિલ્લામાં 07, સાબરકાંઠામાં 06, વડોદરામાં 04, ભાવનગરમાં 03, સુરત જિલ્લામાં 03, વલસાડમાં 03, બનાસકાંઠામાં 02, ભરૂચમાં 02, ગાંધીનગરમાં 02, સુરેન્દ્રનગરમાં 02, દાહોદમાં 01, નવસારીમાં 01 અને પોરબંદરમાં 01 કેસ નોંધાયો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.