રાજ્યમાં આવી મેઘસવારી... છેલ્લા 24 કલાકમાં આટલા તાલુકામાં વરસ્યો વરસાદ, જાણો વરસાદ માટે કરાયેલી આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-26 11:18:34

ઘણા સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ચોમાસાનું આગમન વિધિવત રીતે થઈ ગયું છે. ગુજરાતમાં સત્તવાર રીતે ચોમાસુ બેસી ગયું છે. ચોમાસાનું આગમન થતાં ખેડૂતોમાં તેમજ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામમાં ચાર કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસો દરમિયાન રાજ્યમાં મેઘમહેર જોવા મળશે. વરસાદને કારણે વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. ગરમીથી છુટકારો મળ્યો છે. 


રાજ્યમાં થઈ ચોમાસાની એન્ટ્રી

ઋતુચક્રમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળાના સમય દરમિયાન કમોસમી વરસાદ વરસ્યો હતો. એક જ દિવસમાં જાણે ત્રણેય ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો હતો. ચોમાસું આવે તે પહેલા બિપોરજોય વાવાઝોડું આવ્યું. જેની સીધી અસર ચોમાસાની સિસ્ટમ પર પડી હતી. જેને કારણે ચોમાસાનું આગમન લેટ થયું હતું. પરંતુ ગુજરાતીઓની આતુરતાનો અંત આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 125 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વરસાદ વલસાડના ઉમરગામમાં 5.6 ઈંચ જેટલો વરસાદ થયો હતો. તે સિવાય ભરૂચ, સાયલા, ધોરાજીમાં બે ઈંચ જેટલો વરસાધ ખાબક્યો હતો. તે ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, વાપી, અંકલેશ્વર, બોટાદમાં પણ વરસાદ વરસ્યો હતો.     



આગામી પાંચ દિવસ માટે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ

વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી પ્રમાણે 30 તારીખ સુધી રાજ્યમાં મેઘરાજા મહેરબાન રહેવાના છે. રવિવારના દિવસે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદની પધરામણી થઈ ગઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી છે. સાથે જ રાજકોટ, સુરેન્દ્રનગર, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.