રાજ્યમાં આવી મેઘસવારી... છેલ્લા 24 કલાકમાં આટલા તાલુકામાં વરસ્યો વરસાદ, જાણો વરસાદ માટે કરાયેલી આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-26 11:18:34

ઘણા સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ચોમાસાનું આગમન વિધિવત રીતે થઈ ગયું છે. ગુજરાતમાં સત્તવાર રીતે ચોમાસુ બેસી ગયું છે. ચોમાસાનું આગમન થતાં ખેડૂતોમાં તેમજ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામમાં ચાર કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસો દરમિયાન રાજ્યમાં મેઘમહેર જોવા મળશે. વરસાદને કારણે વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. ગરમીથી છુટકારો મળ્યો છે. 


રાજ્યમાં થઈ ચોમાસાની એન્ટ્રી

ઋતુચક્રમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળાના સમય દરમિયાન કમોસમી વરસાદ વરસ્યો હતો. એક જ દિવસમાં જાણે ત્રણેય ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો હતો. ચોમાસું આવે તે પહેલા બિપોરજોય વાવાઝોડું આવ્યું. જેની સીધી અસર ચોમાસાની સિસ્ટમ પર પડી હતી. જેને કારણે ચોમાસાનું આગમન લેટ થયું હતું. પરંતુ ગુજરાતીઓની આતુરતાનો અંત આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 125 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વરસાદ વલસાડના ઉમરગામમાં 5.6 ઈંચ જેટલો વરસાદ થયો હતો. તે સિવાય ભરૂચ, સાયલા, ધોરાજીમાં બે ઈંચ જેટલો વરસાધ ખાબક્યો હતો. તે ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, વાપી, અંકલેશ્વર, બોટાદમાં પણ વરસાદ વરસ્યો હતો.     



આગામી પાંચ દિવસ માટે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ

વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી પ્રમાણે 30 તારીખ સુધી રાજ્યમાં મેઘરાજા મહેરબાન રહેવાના છે. રવિવારના દિવસે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદની પધરામણી થઈ ગઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી છે. સાથે જ રાજકોટ, સુરેન્દ્રનગર, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!