આવા દ્રશ્યો અનેક અંતરિયાળ વિસ્તારોમાં જોવા મળતા હશે...! જુઓ Dahodમાં આવેલા સિંગાપોરના દ્રશ્યો જ્યાં નળ તો પહોંચ્યો પરંતુ પાણી નહીં...


  • Published By :
  • Published Date : 2024-03-21 16:23:43

આપણે મોટા મોટા શહેરોમાં રહીએ છીએ એટલે કદાચ આપણે એ મુશ્કેલીને નહીં સમજી શકીએ જે નાના ગામડાઓમાં રહેતા લોકોને પડતી હોય છે... વાત ખરાબ અને ખોટી પણ લાગી શકે છે પરંતુ આ વાસ્તવિક્તા છે આપણા ત્યાંની. આઝાદીને આટલા વર્ષ થઈ ગયા પરંતુ આજે પણ વિકસીત ગુજરાતના અનેક એવા ગામો છે જ્યાં પાણી નથી પહોંચી શક્યું. લોકોના ઘર સુધી પાણી પહોંચે તે માટે સરકાર અનેક યોજના લાવી. નલ સે જલ યોજનાના કારણે અનેક લોકોને લાભ થયો એની ના નથી પણ પરંતુ તે લોકોનું શું જેમના ઘરે નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું. 

દાહોદનું એક ગામ જ્યાં નથી પહોંચ્યું પાણી

નલ સે જલ યોજનાની પોલ અનેક વખત ખોલી છે, આજે ફરી એક વખત એવા દ્રશ્યો બતાવવા છે જે અનેક વખત બતાવી ચૂક્યા છે. એક એવું ગામ બતાવવું છે જ્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ આજે પણ લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. નળ છે પરંતુ પાણીની સુવિધા નથી. આજે જે ગામની વાત કરવી છે તે ગામ દાહોદ પાસેનું છે અને તે ગામનું નામ છે સિંગાપોર.. ગામ બદલાય છે જિલ્લો બદલાય છે પરંતુ નથી બદલાતા દ્રશ્યો, નથી બદલાતી લોકોની પરિસ્થિતિ... 


શહેર બદલાય છે પરંતુ પરિસ્થિતિ નથી બદલાતી  

એક સમય હતો જ્યારે લોકોને પાણી ભરવા માટે અનેક કિલોમીટરો દુર જવું પડતું હતું. નદીના કિનારે પાણી માટે લોકો જતા હતા. અનેક વર્ષો બાદ પરિસ્થિતિ બદલાઈ..  અનેક ઘરોમાં નળની સુવિધા પહોંચી. નળમાંથી પાણી આવવા લાગ્યું અને તેમનું જીવન સરળ બની ગયું. આઝાદીના અનેક વર્ષો વિત્યા પરંતુ હજી સુધી પણ પરિસ્થિતિ નથી બદલાઈ. શહેરોમાં પરિસ્થિતિ બદલાઈ છે પરંતુ ગામડાઓમાં, અંતરિયાળ વિસ્તારના લોકો તો હજી એ જ પરિસ્થિતિ સ્થિતિમાં જીવે છે આટલા વર્ષો બાદ પણ... અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોના ઘર સુધી પાણી પહોંચે તે માટે નલ સે જળ યોજનાની શરૂઆત કરવામાં આવી. 


નળ પહોંચી ગયો છે તો પાણી પણ પહોંચી જશે!

નલ સે જળ યોજના અંતર્ગત નળથી ગામડાઓના ઘરમાં પાણી પહોંચાડવામાં આવે છે. અનેક જગ્યાઓ પર સારા કામ પણ કરવામાં આવ્યા છે, યોજના અંતર્ગત કામ પણ થયું છે અને લોકોના ઘર સુધી નળથી પાણી પણ પહોંચ્યું છે. પરંતુ આ તો થઈ ખાલી થોડી જગ્યાઓની વાત. મુખ્યત્વેના ગામોમાં માત્ર નળ પહોંચ્યા છે પાણી નથી પહોંચ્યું. નળ લગાયે વર્ષો થઈ ગયા પરંતુ પાણી નથી આવ્યું. એવું પણ માની લઈએ કે નળ તો પહોંચી ગયા તો આવનાર સમયમાં પાણી પણ પહોંચી જશે. 



પેપર પર તો 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે નલ સે જલ યોજના

એવી આશા પણ રાખીએ કે સરકારને ખબર હશે ને કે આ જગ્યા પર માત્ર નળ પહોંચ્યો છે પાણી નથી પહોંચ્યું...! પરંતુ આ આશા ત્યારે મરી જાય જ્યારે સરકાર તરફથી એવું કહેવામાં આવે કે 100 ટકા નલ સે જલ યોજનાનો અમલ થઈ ગયો છે. 2022માં વિધાનસભાની ચૂંટણી વખતે આવી વાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. સરકારની કદાચ એ ફરજમાં આવે છે કે એક વખત અંતરિયાળ વિસ્તારમાં જઈને જોવે કે સાચે 100 ટકા કામ પૂર્ણ થયું છે ખરૂં?           



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.