આવા દ્રશ્યો અનેક અંતરિયાળ વિસ્તારોમાં જોવા મળતા હશે...! જુઓ Dahodમાં આવેલા સિંગાપોરના દ્રશ્યો જ્યાં નળ તો પહોંચ્યો પરંતુ પાણી નહીં...


  • Published By :
  • Published Date : 2024-03-21 16:23:43

આપણે મોટા મોટા શહેરોમાં રહીએ છીએ એટલે કદાચ આપણે એ મુશ્કેલીને નહીં સમજી શકીએ જે નાના ગામડાઓમાં રહેતા લોકોને પડતી હોય છે... વાત ખરાબ અને ખોટી પણ લાગી શકે છે પરંતુ આ વાસ્તવિક્તા છે આપણા ત્યાંની. આઝાદીને આટલા વર્ષ થઈ ગયા પરંતુ આજે પણ વિકસીત ગુજરાતના અનેક એવા ગામો છે જ્યાં પાણી નથી પહોંચી શક્યું. લોકોના ઘર સુધી પાણી પહોંચે તે માટે સરકાર અનેક યોજના લાવી. નલ સે જલ યોજનાના કારણે અનેક લોકોને લાભ થયો એની ના નથી પણ પરંતુ તે લોકોનું શું જેમના ઘરે નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું. 

દાહોદનું એક ગામ જ્યાં નથી પહોંચ્યું પાણી

નલ સે જલ યોજનાની પોલ અનેક વખત ખોલી છે, આજે ફરી એક વખત એવા દ્રશ્યો બતાવવા છે જે અનેક વખત બતાવી ચૂક્યા છે. એક એવું ગામ બતાવવું છે જ્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ આજે પણ લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. નળ છે પરંતુ પાણીની સુવિધા નથી. આજે જે ગામની વાત કરવી છે તે ગામ દાહોદ પાસેનું છે અને તે ગામનું નામ છે સિંગાપોર.. ગામ બદલાય છે જિલ્લો બદલાય છે પરંતુ નથી બદલાતા દ્રશ્યો, નથી બદલાતી લોકોની પરિસ્થિતિ... 


શહેર બદલાય છે પરંતુ પરિસ્થિતિ નથી બદલાતી  

એક સમય હતો જ્યારે લોકોને પાણી ભરવા માટે અનેક કિલોમીટરો દુર જવું પડતું હતું. નદીના કિનારે પાણી માટે લોકો જતા હતા. અનેક વર્ષો બાદ પરિસ્થિતિ બદલાઈ..  અનેક ઘરોમાં નળની સુવિધા પહોંચી. નળમાંથી પાણી આવવા લાગ્યું અને તેમનું જીવન સરળ બની ગયું. આઝાદીના અનેક વર્ષો વિત્યા પરંતુ હજી સુધી પણ પરિસ્થિતિ નથી બદલાઈ. શહેરોમાં પરિસ્થિતિ બદલાઈ છે પરંતુ ગામડાઓમાં, અંતરિયાળ વિસ્તારના લોકો તો હજી એ જ પરિસ્થિતિ સ્થિતિમાં જીવે છે આટલા વર્ષો બાદ પણ... અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોના ઘર સુધી પાણી પહોંચે તે માટે નલ સે જળ યોજનાની શરૂઆત કરવામાં આવી. 


નળ પહોંચી ગયો છે તો પાણી પણ પહોંચી જશે!

નલ સે જળ યોજના અંતર્ગત નળથી ગામડાઓના ઘરમાં પાણી પહોંચાડવામાં આવે છે. અનેક જગ્યાઓ પર સારા કામ પણ કરવામાં આવ્યા છે, યોજના અંતર્ગત કામ પણ થયું છે અને લોકોના ઘર સુધી નળથી પાણી પણ પહોંચ્યું છે. પરંતુ આ તો થઈ ખાલી થોડી જગ્યાઓની વાત. મુખ્યત્વેના ગામોમાં માત્ર નળ પહોંચ્યા છે પાણી નથી પહોંચ્યું. નળ લગાયે વર્ષો થઈ ગયા પરંતુ પાણી નથી આવ્યું. એવું પણ માની લઈએ કે નળ તો પહોંચી ગયા તો આવનાર સમયમાં પાણી પણ પહોંચી જશે. 



પેપર પર તો 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે નલ સે જલ યોજના

એવી આશા પણ રાખીએ કે સરકારને ખબર હશે ને કે આ જગ્યા પર માત્ર નળ પહોંચ્યો છે પાણી નથી પહોંચ્યું...! પરંતુ આ આશા ત્યારે મરી જાય જ્યારે સરકાર તરફથી એવું કહેવામાં આવે કે 100 ટકા નલ સે જલ યોજનાનો અમલ થઈ ગયો છે. 2022માં વિધાનસભાની ચૂંટણી વખતે આવી વાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. સરકારની કદાચ એ ફરજમાં આવે છે કે એક વખત અંતરિયાળ વિસ્તારમાં જઈને જોવે કે સાચે 100 ટકા કામ પૂર્ણ થયું છે ખરૂં?           



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.