જૂનાગઢના ડેમમાં ફેંકાયો દવાઓ, વેક્સિન અને સિરપનો આટલો મોટો જથ્થો! સમગ્ર પ્રકરણ સામે આવતા શરૂ કરાઈ તપાસ!


  • Published By :
  • Published Date : 2023-05-27 16:20:18

રાજ્યના લોકોને સારી મેડિકલ ફેસિલીટિ મળી રહે તે માટે સરકાર દ્વારા લાખો રુપિયાનો ખર્ચો કરવામાં આવે છે. દવાઓ, ઈન્જેક્શનનો સ્ટોક પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સ્ટોક કરવામાં આવતો હોય છે. પરંતુ જૂનાગઢ જિલ્લાના ભાલચેડા ડેમમાંથી દવાઓ તેમજ વેક્સિન તેમજ સિરપની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે કયા કારણોસર દવાઓનો આટલો મોટો જથ્થો પાણીમાં ફેંકી દેવામાં આવ્યો તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ દવાઓનો જથ્થો કેટલા સમય પહેલા ફેંકવામાં આવ્યો અને કેમ ફેંકવામાં આવ્યો તે અંગે તપાસ થાય તેવી માગ છે.


 

ડેમમાંથી મળી આવ્યો દવાનો જથ્થો!    

આરોગ્ય પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવતો હોય છે. દર્દીઓને દવા માટે અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ત્યારે માણાવદર-જૂનાગઢ હાઈવે પર આવેલા ડેમમાંથી મોટા પ્રમાણમાં દવાઓ,વેક્સિન, બાટલા અને સિરપનો જથ્થો મળી આવ્યો હતો. આટલા મોટા પ્રમાણમાં દવાનો જથ્થો મળી આવતા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. આટલી બધી દવાઓ શા માટે પાણીમાં પધરાવામાં આવી તે અંગે તપાસ કરવા માગ ઉઠી છે. એક તરફ દર્દીઓને દવાઓ નથી મળી રહી અને બીજી તરફ આટલી બધી દવાઓનો જથ્થો મળી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 5 હજારથી વધુ ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો. 


આટલી બધી દવાઓ ડેમમાં કેમ ફેંકવામાં આવી?

આ મામલે જ્યારે જિલ્લા કલેક્ટરને જાણ કરવામાં આવી ત્યારે તેમણે તપાસ કરાવા અંગનું આશ્વાસન આપ્યું હતું. આ મામલે તપાસ કરાવામાં આવશે. બેચ નંબરના આધારે આ દવાઓની તપાસ થાય તો સાચી હકીકત સામે આવી શકે. મહત્વનું છે કે કોરોના સમયે દવા માટે લોકોને લાચાર બનતા જોયા છે. આટલો મોટો દવાઓનો જથ્થો ઉપયોગી થયા વગર કેમ નાખી દેવામાં આવ્યો તે અંગે આરોગ્ય તંત્રને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે. આરોગ્ય અધિકારીએ આ મામલે કહ્યું કે સ્થળ તપાસ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!