આવી નિષ્ઠુર માતા ક્યાંય નહીં જોઈ હોય! Rajkotના ઉપલેટામાં માતાએ 9 મહિનાની બાળકીને પીવડાવ્યું એસિડ, પોતે પીધું અને પછી....


  • Published By :
  • Published Date : 2024-01-29 14:45:18

કહેવાય છે કે પુત્ર કુપુત્ર થઈ શકે છે પરંતુ માતા કુમાતા નથી થતી. માતા સાથે બાળકનો સંબંધ 9 મહિનાનો વધારે હોય છે. બાળકને કષ્ટ પડે તો માતાનું દિલ કંપી ઉઠે છે. આજે માતા અને બાળકના સંબંધની વાત એટલા માટે કરી રહ્યા છે કારણ કે ઉપલેટાથી એક કિસ્સો સામે આવ્યો છે જે રૂંવાડા ઉભા કરી દે તેવો છે. ભીમોરા ગામમાં માતાએ 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યું છે. માસુમને એસિડ પીવડાવ્યા બાદ માતાએ પણ પોતે એસિડ ગગટાવ્યું. માતાનું મોત થઈ ગયું પરંતુ માસુમ બાળકી જીવન અને મોત વચ્ચે ઝુલી રહી છે.   


જિંદગી અને મોત વચ્ચે ઝઝુમી રહ્યું છે માસુમ બાળક!

ઉપલેટીના ભીમોરા ગામથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં માતાએ પોતાની માસુમ બાળકીને એસિડ પીવડાવ્યું છે. માસુમને એસિડ પીવડાવી માતાએ પણ એસિડ પી લીધું છે. સારવાર દરમિયાન માતાનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. બાળકીને સારવાર આપવામાં આવી રહી છે. 9 મહિનાની બાળકી જીવન અને મરણ વચ્ચે ઝઝુમી રહી છે. મળતી માહિતી અનુસાર બાળકી સારવાર હેઠળ છે. બાળકીના પિતાએ મરનાર પત્ની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે તેવી માહિતી સામે આવી છે. કયા કારણોસર પત્નીએ આ પગલું ભર્યું તે અકબંધ છે. 


પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી!

આ ઘટનાને લઈ જે માહિતી સામે આવી છે કે ઉપલેટાના ભીમોરા ગામમાં રહેતા મનીષાબેન મકવાણા ગઈકાલ બપોરે એકલા હતા. તે વખતે પોતાની માસુમ બાળકીને એસિડ પીવડાવ્યું અને તે બાદ એસિડ પોતે ગગટાવ્યું. જ્યારે આ બનાવ બન્યો ત્યારે બાળકીના પિતા કામ પર ગયા હતા. ઘટનાની જાણ થતા પરિવારના સભ્યો ત્યાં દોડી આવ્યા હતા. માસુમ પુત્રીની હત્યાના પ્રયાસ કરવા બદલ પતિએ પત્ની વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે. કયા કારણોસર આ પગલું માતાએ ભર્યું તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે.           



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.