Kerala Blast મામલે આવી મોટી અપડેટ, આ માણસે સ્વીકારી હુમલાની જવાબદારી! જાણો પોલીસ સ્ટેશનમાં કોણે કર્યું આત્મસમર્પણ?


  • Published By :
  • Published Date : 2023-10-29 19:12:36

રવિવાર સવારે કેરળમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક કન્વેન્શન સેન્ટરમાં અચાનક સવારે 9.30 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો. તપાસ એજન્સી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી છે. એનઆઈએની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગેનું કારણ શોધાઈ રહ્યું છે. એક તરફ આ મામલે તપાસ ચાલી રહી હતી તો બીજી તરફ એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં જઈ આત્મસમર્પણ કર્યું છે. ત્રિશુર ગ્રામીણના કોડાકરા પોલીસ સ્ટેશનમાં ડોમેનિક માર્ટિન નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં કહ્યું કે આ ધડાકો મેં જ કર્યો છે. ધમાકા બાદ અનેક રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ મામલે તપાસ કરવા કરાઈ એસઆઈટીની રચના 

કેરળના અર્નાકુલમાં રવિવાર સવારે એક કન્વેન્શન સેન્ટરમાં બ્લાસ્ટ થયો હતો જેમાં અનેક લોકોના ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. એવી માહિતી સામે આવી હતી કે એક નહીં પરંતુ ત્રણ બ્લાસ્ટ થયા હતા. આ ઘટના બાદ તપાસ એજન્સી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ ઘટનાને લઈ કેરળના ડીજીપીનું નિવેદન સામે આવ્યું છે. ડીજીપી શેખ દરવેશે આ મામલે નિવેદન આપતા કહ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર ધડાકો કરવામાં આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ બ્લાસ્ટ શા માટે કરવામાં આવ્યો તે જાણી શકાયું નથી. આ મામલે તપાસ કરવા એસઆઈટીની રચના કરવામાં આવી છે.

     

એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં જઈ કર્યું આત્મસમર્પણ

એક તરફ એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તો બીજી તરફ વ્યક્તિએ આત્મસમર્પણ કર્યું છે.ડીજીપીએ કહ્યું કે એક વ્યક્તિએ ત્રિશુર ગ્રામીણના કોડાકરા પોલીસ સ્ટેશનમાં જઈ આત્મસમર્પણ કર્યું છે. એ વ્યક્તિએ દાવો કર્યો છે કે આ ધડાકો તેણે કર્યો છે. જે વ્યક્તિએ આ ધમાકાની જવાબદારી લીધી છે તેનું નામ ડોમિનિક મોર્ટિન છે. તે સભાના એક સમુહમાં હતો. આ બાદ આ મામલે દરેક એંગલથી આની પર તપાસ કરવામાં આવશે. 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.