Arvalliના Modasaમાં નકલી કચેરી મામલે આવી મોટી અપડેટ, નકલી કચેરી હોવાની વાતનું કલેક્ટરે કર્યું ખંડન, સાંભળો આ મામલે શું કહ્યું કલેક્ટરે?


  • Published By :
  • Published Date : 2024-05-23 18:31:39

અરવલ્લીના મોડાસામાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હતી.... આવી એક શંકા સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આરોપ લગાવ્યો હતો... મોડાસાની આ નકલી સિંચાઈ વિભાગની કચેરીમાં 7 જેટલા શખ્સો કામ કરતા મળી આવ્યા હતા.. તેમજ સરકારી સિક્કા સહિત શંકાસ્પદ દસ્તાવેજ પણ મળી આવ્યા હતા... . ત્યારે બાયડના MLA ધવલસિંહ ઝાલાએ શંકાસ્પદ કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા.... મોડાસા ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી મોડાસાના તિરૂપતિ રાજ બંગલોમાં ધમધમાટ શરુ થયો હતો... હવે એક મોટો ખુલાસો આ કચેરી કેસમાં થયો છે... અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે કહ્યું કે નકલી કચેરી હોવાની બાબતનું અમે ખંડન કરીએ છીએ... એટલે આ કચેરી નકલી હોવાની વાત કલેક્ટરે નકારી છે.... સાથે એવું પણ કહ્યું કે, નિવૃત અધિકારી મેઝરમેન્ટ બિલ ટ્રેઈનિંગ માટે રાખી શકે છે.. હા સિક્કાઓ મળ્યા તે તપાસનો વિષય છે... 

નકલી કચેરીને લઈ કલેક્ટરે આપી પ્રતિક્રિયા

ગઈકાલે કથિત નકલી કચેરી હોવાનું સામે આવ્યા પછી આજે સવારે એક સમાચાર એ પણ મળ્યા હતા કે,  નકલી કચેરીમાં ભાજપ નેતાના વેવાઈની સંડોવણીનો હોવાનો ખુલાસો થયો છે. અરવલ્લીની નકલી કચેરીમાં ભાજપ નેતા ભીખાજી ડામોરના વેવાઈની સંડોવણી હોવાની માહિતી સામે આવી હતી... કેમ કે નિવૃત અધિકારી પીએ ડામોર ભીખાજીના વેવાઈ થાય છે.... અને જે જગ્યાએ રેડ પાડવામાં આવી ત્યાં ભીખાજીના વેવાઈ રહેતા હતા.. સિંચાઈ વિભાગમાં તેમનું બહુ મોટુ નામ છે અને એવુ કહેવાય છે કે એમની નિવૃતિ પછી પણ સિંચાઈના કામો માટે સરકાર તેમનું માર્ગદર્શન લે છે.... જો કે સિક્કા ત્યાંથી મળ્યા એ તપાસનો વિષય છે.... એટલે હાલ તો તપાસ ચાલી રહી છે. ત્યારે જોવું રહ્યું કે આ મામલે નવા શું અપડેટ સામે આવે છે? 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.