ક્ષત્રિય આંદોલનમાં આવી મોટી અપડેટ! આંદોલન વચ્ચે રાજ્યના 45 રાજવીઓનું PM મોદીને સમર્થન! સાંભળો શું કહેવામાં આવ્યું પ્રેસ કોન્ફરન્સમાં?


  • Published By :
  • Published Date : 2024-05-02 16:00:06

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પરષોત્તમ રૂપાલાના વિરોધમાં, ભાજપના ક્ષત્રિય સમાજ દેખાયો હતો.. અનેક એવા દ્રશ્યો રાજ્યના વિવિધ જગ્યાઓથી સામે આવ્યા જેમાં ભાજપને વોટ ના આપવા માટે શપથ લેવડાવ્યા હોય.. એવું માનવામાં આવતું હતું કે પીએમ મોદીના ગુજરાતમાં આવતા જ સમીકરણો બદલાઈ જશે.. અને આ વાત થોડા અંશે સાચી પણ પડી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે ગુજરાતના 45 જેટલા રાજવીએઓ ભાજપ અને નરેન્દ્ર મોદીને આ મુદ્દે ખુલ્લુ સમર્થન આપ્યુ છે.  

પરષોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યો નવો વળાંક 

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.. પરષોત્તમ રૂપાલાનો વિરોધ તેમના દ્વારા કરાયો, ધીરે ધીરે ભાજપનો વિરોધ થયો, ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો.. એક સમય એવો આવ્યો જ્યારે લાગતું હતું કે ક્ષત્રિય સમાજ આર પારની લડાઈ લડવા માગે છે.. પરંતુ ધીરે ધીરે ક્ષત્રિય સમાજમાં ફાંટા પડ્યા એવું લાગ્યું.. અલગ અલગ લોકોના અલગ અલગ નિવેદનો પણ સામે આવ્યા..! આ બધા વચ્ચે આજે આ મામલે એક મોટી અપડેટ સામે આવી છે.. 


રાજવી પરિવારે ભાજપને સમર્થન જાહેર કર્યું? 

પરષોત્તમ રૂપાલાના નિવેદન પર અનેક રાજવી પરિવારોની પ્રતિક્રિયા સામે આવી હતી.. આ બધા વચ્ચે હવે ગુજરાતના 45 જેટલા રાજવીઓએ ભાજપને ખુલ્લું સમર્થન આપ્યું છે.. રાજકોટમાં રાજવી પરિવારો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સાં અલગ અલગ સ્ટેટના રાજવીઓ હાજર હતા અને તેમણે પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું છે.. રાજકોટ ખાતે કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં રાજવી માંધાતાસિંહ જાડેજા, જસદણના રાજવી, ચોટીલા સ્ટેટના રાજવી સહિતના અનેક ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત હતા. મહત્વનું છે કે ગઈકાલથી પીએમ મોદી ગુજરાતમાં છે... રાજકોટનાં રાજવી માંધાતાસિંહ જાડેજાએ કોઈ ઉમેદવારને બદલે નરેન્દ્ર મોદીને મત આપવાની વાત કરી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.