નિર્મલા સીતારમનને અર્થંતંત્રમાં કંઈ પણ ખબર પડતી નથી: સુબ્રમણ્યમ સ્વામી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 16:06:32


ભાજપના નેતા, રાજ્ય સભાના પૂર્વ સાંસદ અને અગ્રણી અર્થશસ્ત્રી સુબ્રમણ્યમ સ્વામીએ નાણામંત્રી નિર્મલા સીતારામનને નિશાન બનાવતા આકરૂ નિવેદન કર્યું છે. અમેરિકાની મુલાકાતે પહોંચેલા નાણામંત્રી નિર્મલા સીતારમને એક નિવેદન આપતા કહ્યું હતું કે રૂપિયો નબળો નથી પડી રહ્યો, પણ ડોલર મજબૂત થઈ રહ્યો છે. સીતારમનના આ નિવેદને ભારતમાં ખાસ્સો વિવાદ સર્જ્યો હતો, આ નિવેદન બાદ અનેક નિષ્ણાત અર્થશાસ્ત્રીઓએ સીતારમનની ઝાટકણી કાઢી છે.


શું કહ્યું સુબ્રમણ્યમ સ્વામીએ?


સુબ્રમણ્યમ સ્વામીએ ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન અંગે નિવેદન આપતાં કહ્યું કે, દુનિયાભરમાં આપણા નાણામંત્રીને મૂર્ખ માનવામાં આવે છે. ડોલર સાથે રૂપિયો કેમ મજબૂત ના થયો ? નિર્મલા સીતારમનને ઇકોનોમીમાં કંઈ પણ ખબર નથી પડતી. સારી અર્થ વ્યવસ્થા માટે વ્યાજદર ઓછો કરવો પડે. ફિક્સ ડિપોઝિટના દરમાં વધારો કરવો જરૂરી. ઊંચા વ્યાજદરના કારણે નાના ઉદ્યોગોને સમસ્યા થાય છે. સ્વામીએ વધુમાં કહ્યું કે ભારતે જો 5 ટ્રીલિયનનું અર્થતંત્ર બનવું હોય તો સતત 15 ટકા ગ્રોથ રેટ જરૂરી છે, અત્યારે તે ગ્રોથ રેટ માત્ર 5 ટકા જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકો ખોટી સલાહ આપી રહ્યા છે.  સારી અર્થવ્યવસ્થા માટે વ્યાજદર ઓછો કરવો જરૂરી છે. 


નિર્મલા સીતારમને અમેરિકામાં શું બફાટ કર્યો હતો?


ભારતીય નાણામંત્રી નિર્મલા સીતારમન આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે. તેમણે રવિવારે (16 ઓક્ટોબર) વોશિંગ્ટન ડીસીમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. ભારતની વર્તમાન આર્થિક સ્થિતિ પર તેમણે કહ્યું કે રૂપિયો નબળો નથી પડી રહ્યો, આપણે તેને એ રીતે જોવું જોઈએ કે ડોલર મજબૂત થઈ રહ્યો છે, પરંતુ જો આપણે અન્ય બજારની કરન્સી પર નજર કરીએ તો, રૂપિયો ડોલરની સરખામણીમાં ઘણો સારો દેખાવ કરી રહ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.