RBIના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવનો સરકારને સવાલ, વિકાસ તો ઠીક છે પણ નોકરીઓ ક્યાંથી આવશે?


  • Published By :
  • Published Date : 2023-02-23 21:21:38

RBIના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવે કેન્દ્રીય બજેટને લઈ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે બજેટને નિશાન બનાવી તેની આકરી  ટીકા કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે આ બજેટ બેરોજગારીની સમસ્યાને પહોંચી વળવામાં નિષ્ફળ રહ્યું છે. સરકારે અતિ આશાવાદમાં માની લીધુ છે કે ગ્રોથથી પોતાની રીતે જ રોજગારની તકો પેદા થઈ જશે. સુબ્બારાવે કહ્યું કે કોવિડના કારણે પહેલાથી જ બેરોજગારીની સ્થિતી ખરાબ હતી અને હવે તે વધુ ચિંતાનજક બની છે.  


બેકારીની સમસ્યા હલ કરવામાં બજેટ નિષ્ફળ


RBIના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવ બજેટની જોગવાઈઓને બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે અપુરતી ગણાવી છે. તેમના જણાવ્યા પ્રમાણે દેશમાં દર મહિને 10 લાખ લોકો લેબર ફોર્સમાં જોડાય છે, અને તેનાથી અડધી પણ નોકરીઓનું સર્જન થતું નથી,એટલે કે અડધાથી પણ વધુ યુવાનો બેકાર રહી જાય છે આ સમસ્યા દરરોજ વિકટ બનતી જાય છે. નિરાશા સાથે તેમણે કહ્યું કે હું બજેટથી નિરાશ એટલા માટે શું કારણ કે બજેટમાં નવી નોકરીઓના સર્જન અંગે પુરતો ભાર આપવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે બેરોજગારી જેવી મોટી અને જટીલ સમસ્યાનું કોઈ માત્ર એક જ સરળ સમાધાન નથી.


માત્ર ગ્રોથથી કામ નહીં  ચાલે


સરકારે બજેટમાં દેશના વિકાસ પર ફોકસ કર્યું છે, જો કે ડી સુબ્બારાવના જણાવ્યા પ્રમાણે માત્ર ગ્રોથથી કામ નહીં ચાલે. રોજગાર વગરના વિકાસનો કોઈ મતલબ નથી, આપણે રોજગાર આધારીત ગ્રોથની જરૂર છે. બજેટમાં માત્ર એ ભરોસો રાખવામાં આવ્યો છે કે ગ્રોથની સાથે રોજગારીની તકો પણ ઉભી થશે. ભારત તેના ડેમોગ્રાફિક ડિવિડન્ડનો ફાયદો ત્યારે જ ઉઠાવી શકશે જ્યારે આપણે વધતી શ્રમ શક્તિ માટે ઉત્પાદકો રોજગાર શોધવા માટે સક્ષમ બનશે. આ બજેટમાં ગ્રોથ પર જ ભાર આપવામાં આવ્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.