ખેડા જિલ્લાના મહેમદાવાદની મામલતદાર કચેરીમાં સબ રજીસ્ટ્રાર માત્ર 5 હજારની લાંચ લેતા ઝડપાયા, ACBની ટ્રેપમાં ફસાઈ ગયા જીગીશાબેન


  • Published By :
  • Published Date : 2023-06-19 22:40:32

રાજ્યમાં સરકારી કર્મચારીઓ બેફામ બનીને ગરીબ જનતાને લૂંટતા જોવા મળે છે. આ લાંચિયા અધિકારીઓ સામે સરકાર પણ કડક કાર્યવાહી કરી રહી છે. એસીબીના અધિકારીઓ છટકું ગોઠવીને આવા લાંચિયા કર્મચારીઓને પકડી પણ પાડે છે. જો કે તેમ છતાં પણ વહીવટીતંત્રમાં રહેલો ભ્રષ્ટાચાર સતત વધી રહ્યો છે. છાંકટા બનેલા આવા લાંચિયા કર્મચારીઓને એસીબી કે વિજીલન્સ ખાતાનો પણ જાણે કોઈ ભય નથી રહ્યો. આજે આણંદ એસીબીની ટીમ તથા અમદાવાદ એસીબીના અધિકારીએ સંયુક્તપણે છટકું ગોઠવીને લાંચિયા મહિલા કર્મચારીને પકડી પાડ્યા છે. મામલતદાર કક્ષાના આ લાંચીયા અધિકારી માત્ર 5 હજાર લેતા ઝડપાઈ જતાં જિલ્લા વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો છે.


5 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા


ખેડા જિલ્લાના મહેમદાવાદની મામલતદાર કચેરીમાં આવેલી સબ રજીસ્ટ્રારની કચેરીમાં ફરજ બજાવતા અને ગાંધીનગર ખાતે રહેતા સબ રજીસ્ટ્રાર જીગીશાબેન સામે ફરિયાદ મળી હતી. ત્યાર બાદ આજે આણંદ એસીબીની ટીમ તથા અમદાવાદ એસીબીના અધિકારી દ્વારા મળેલી ફરિયાદને આધારે મહેમદાવાદ મામલતદાર કચેરીમાં છટકુ ગોઠવી સબ રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા એક મહિલા અધિકારીને 5 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.  મામલતદાર કક્ષાના આ અધિકારી માત્ર 5 હજાર પકડાઈ ગયા હતા. 


શું હતો સમગ્ર મામલો?


ખેડા જિલ્લાના મહેમદાવાદની મામલતદાર કચેરીમાં સબ રજીસ્ટ્રાર જીગીશાબેન સબ રજીસ્ટર કચેરીમાં દસ્તાવેજની નોંધણી માટે આવતા અરજદારો પાસેથી રૂપિયા 1 હજારથી લઈને રૂપિયા 5 હજાર સુધીની લાંચની માંગણી કરતા હોવાની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી થઈ રહી હતી. અને પોતાનું કામ પતાવવા માટે અરજદારોને નાછૂટકે પૈસાનો વ્યવહાર કરવો પડતો હતો. જે માહિતી એસીબીને મળતા આણંદ એસીબીએ આજે છટકું ગોઠવ્યું હતું. અરજદારો વતી મોટેભાગે વકીલો દસ્તાવેજની નોંધણી કરાવતા હોય છે, એટલે એસીબીએ એક વકીલને તૈયાર કર્યો. અસીલે વકીલને કબજા વગરના બાના ખત કરાવવા માટેનું કામ સોપ્યું હતું. જે કામ લઈને વકીલ અરજદાર સાથે સબ રજીસ્ટાર કચેરીમાં ગયા હતા અને અસીલનું કબ્જા વગરના રજીસ્ટર બાના ખાત નોંધણી કરવા આપ્યું હતું. તે વખતે સબ રજીસ્ટારે આ બાનાખત નોંધણી કરવાતા અસલ સ્કેન કરેલા ડોકયુમેન્ટ પરત આપવા રૂપિયા 5 હજારની લાંચની માંગણી કરી હતી. જે વકીલે રૂપિયા 5 હજાર સબ રજીસ્ટ્રાર જીગીશાબેનને આપ્યા હતા. તે વખતે એસીબીએ રંગે હાથ રૂપિયા 5 હજાર સ્વીકારતા જીગીશાબેનને પકડી લીધા. આણંદ એસીબીએ આ લાચીયા મહિલા અધિકારી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે એસીબીના આ છટકા બાદ સબ રજીસ્ટર કચેરીના કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.



રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.