વિદ્યાર્થીઓ હવેથી માતૃભાષામાં કરી શકશે મેડિકલ, એન્જિનિયરિંગ, MBA-MCAનો અભ્યાસ


  • Published By :
  • Published Date : 2022-10-29 18:14:36

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા ગુજરાત સરકારે શિક્ષણ મુદ્દાને લઈ મોટી જાહેરાત કરી છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે રાજ્ય સરકારે એન્જિનિયરિંગ અને મેડિકલ,ફાર્મસી જેવા વિવિધ કોર્ષ માતૃભાષામાં ભણાવવામાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાની ભાષામાં અભ્યાસ કરી શકે તે માટે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. 

Gujarat government will recruit 3300 Vidya Sahayak, priority will be given  to Tet pass candidates: Jitu Vaghani | Gujarat government will recruit 3300  Vidya Sahayak, priority will be given to Tet pass

માતૃભાષામાં વિદ્યાર્થીઓ કરી શક્શે અભ્યાસ - જીતુ વાઘાણી

આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં શિક્ષણ મુદ્દાને લઈ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જીતુ વાઘાણીએ કહ્યું કે હમણાં જ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માતૃભાષામાં વિદ્યાર્થીને ભણાવામાં આવે તેવી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આજની કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે માતૃભાષામાં સમજીને ભણવું એનાથી અનેક કુશળતા અને ક્ષમતાઓ બહાર આવતી હોય છે. 


ગુજરાતીમાં તૈયાર કરાશે પાઠ્યપુસ્તકો 

વધુમાં તેમણે કહ્યું કે આજના યુવાનો સરળતાથી જ્ઞાન મેળવીને સ્પર્ધામાં ઉભો રહી શકતો નથી. એના માટે રાજ્ય સરકારે એક નિર્ણય કર્યો છે.  જે અંતર્ગત એન્જિનિયરિંગ, મેડિકલ અને ફાર્મસી MBA-MCAમાં હવેથી માતૃભાષામાં અભ્યાસ થઈ શકશે. તેમણે કહ્યું કે, તમામ પાઠ્યપુસ્તકોનું સાહિત્ય ગુજરાતીમાં તૈયાર કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવશે. રાજ્ય સરકારે ગત બજેટમાં અમારા વિભાગમાં 50 લાખની ફાળવણી એન્જિનિયરિંગ પુસ્તકોના ગુજરાતીમાં ભાષાંતર માટે કરી હતી. GTU દ્વારા એને કામગીરી સોંપવામાં આવી છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.