સુરતમાં ઈકો કાર ઝાડ સાથે અથડાતા 3 વિદ્યાર્થીઓના મોત, કાર ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત


  • Published By :
  • Published Date : 2023-07-24 21:51:41

સુરત જિલ્લાના ઇસનપુર ગામ નજીક કોલેજના વિદ્યાર્થીઓને લઈને જતી ભરેલી ઇકો કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા 3 વિદ્યાર્થીના મોત થયા છે. સુરતની માલિબા કોલેજથી માંડવી જતી વખતે ખરવસા ઇસનપુર માર્ગમાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થતા અરેરાટી ફેલાઈ હતી. મૃતક વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા આજુબાજુમાં રહેલા લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને 108ની ટીમ ને જાણ કરી હતી. 


ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડાયા


સુરતના ઇસનપુર ગામની હદમાં આ અકસ્માત સર્જાયો હતો, દુર્ઘટનના સમાચાર મળતા જ પોલીસ અને 108ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત 5 વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીનો કચ્ચરધાણ વળી ગયો હતો. ઈકો કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા વાન ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં 5 જેટલા વિદ્યાર્થીઓને બારડોલીની સરદાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જયારે બે વિદ્યાર્થીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા


3 વિદ્યાર્થીના મોત, 5 ઘાયલ 


આ ગમખ્વાર અકસ્માતમાં જે વિદ્યાર્થીઓના મોત થયા છે, તેમાં પારસ શાહ (રહે નવાપરા, માંડવી), જય અમરચંદ શાહ (કામરેજ) અને કીર્તન કુમાર ભાવસાર (મહુવા) ના મૃત્યુ થયા છે. જ્યારે પાંચ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. તનસિક પારેખ, મનશ્વી મેરૂલીયા, સુમિત માધવાણી, હેત્વી પારેખ નામના વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે દુર્ઘટના મામલે તપાસ હાથ ધરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.