સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓને કેન્દ્રીય પદ્ધતિથી મળશે પ્રવેશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 15:25:12

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે, અત્યાર સુધી જે-તે કોલેજ વિદ્યાર્થીઓને  પ્રવેશ આપતી હતી. તેમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે હવેથી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં  વિદ્યાર્થીઓને કેન્દ્રીય પદ્ધતિથી પ્રવેશ આપવામાં આવશે. તમામ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય સેન્ટ્રલાઈઝ યુનિવર્સિટીથી કરાશે. તે ઉપરાંત પરીક્ષાના CCTV પણ હવે સત્તાધિશો અને મીડિયા જ નિહાળી શકશે.



સેન્ટ્રલાઈઝ એડમિશનથી હોંશિયાર વિદ્યાર્થીઓને ફાયદો થશે


અત્રે ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે મળેલી સિન્ડિકેટની બેઠકમાં સેન્ટ્રલાઈઝ એડમિશન સહિતના મુદ્દે ABVPના કાર્યકરોએ ધમાલ મચાવી હતી. ત્યાર બાદ તમામ સભ્યોએ નવા વર્ષથી તમામ કોલેજોમાં તમામ ફેકલ્ટીનો પ્રવેશ સેન્ટ્રલાઈઝ યુનિવર્સિટી કક્ષાએથી કરવા નિર્ણય લીધો હતો. સિન્ડિકેટના આ નિર્ણયથી હોંશિયાર વિદ્યાર્થીઓને ફાયદો થશે અને તેમને સરળતાથી પ્રવેશ મળી શકશે.


ABVPના કાર્યકરોએ ધમાલ મચાવી


અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ સિન્ડિકેટ સભ્યોનો ઘેરાવ કર્યો હતો. જેમાં ભવનોમાં ઘટતી સંખ્યા બાબતે ગંભીર વિચારણા કરવામાં આવે, ટીચિંગની ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી થાય, સાયન્સના ભવનો કે જ્યાં વધુ ફોર્મ ભરાય છે ત્યાં બેઠકો વધારો તેમજ લૉ કોલેજો કેટલી નિયમ મુજબ ચાલે છે તે સહિતના પ્રશ્નો પૂછાયા હતા. તદુપરાંત નોન ટીચિંગના કાયમી કર્મીમાંથી કોઈનું ચાલુ ફરજે અવસાન થાય અને પેન્શન યોજનામાં ન હોય તેવાને રૂ. 20 લાખ આપવામાં આવે.



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.