ફરી સક્રિય થયા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ, ટ્વિટર પર શેર કરી એક પોસ્ટ જેમાં લખ્યું છે કે " હું લડીશ "


  • Published By :
  • Published Date : 2023-07-29 13:53:13

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. અનેક કૌભાંડોનો પર્દાફાશ તેમણે કર્યો છે. ત્યારે થોડા મહિનાઓ પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ નહીં પરંતુ ડમી ઉમેદવારો બેસાડવામાં આવે તેવો ઘટસ્ફોટ તેમણે કર્યો હતો. ડમીકાંડ મામલે તેમણે પ્રેસકોન્ફરન્સ કરી હતી અનેક નામોનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે એ મામલે કાર્યવાહી કરવામાં આવી. ત્યારે અચાનક એ કેસમાં તોડકાંડ સામે આવ્યો જેમાં યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવાયો હતો. 

થોડા દિવસો પહેલા યુવરાજસિંહને મળ્યા હતા જામીન 

તોડકાંડ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહ સહિત 6 લોકોની ધરપકડ કરાઈ હતી. થોડા સમયની અંદર પાંચ લોકોને જામીન પર છોડવામાં આવ્યા હતા. ત્યારે થોડા દિવસો પહેલા જેલવાસ ભોગવી યુવરાજસિંહ બહાર આવ્યા છે. જ્યારે જ્યારે પણ યુવરાજસિંહ મીડિયા સમક્ષ રજૂ થયા છે ત્યારે તેઓ કહેતા રહ્યા છે કે હજી ઘણું બધું બહાર આવવાનું બાકી. આ તો ટિઝર હતું ફિલ્મ હજી બાકી છે વગેરે વગેરે.. ત્યારે બહાર આવતાની સાથે જ ફરીથી તે એક્ટિવ ફોર્મમાં દેખાયા છે. થોડા દિવસો પહેલા તેમણે એક લાઈવ કર્યું હતું.   


ટ્વિટર પર શેર કરી પોસ્ટ 'હું લડીશ'...

ત્યારે આજે યુવરાજસિંહ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે એક મેસેજ લખ્યો છે ઉપરાંત એક વીડિયો ક્લીપ પણ શેર કરી છે. તે વીડિયોમાં પેપરોના અનેક કટિંગ હતા. કેપ્શન આપતા યુવરાજસિંહે લખ્યું છે હું લડીશ... એક કવિતા પ્રકારનું તેમણે લખ્યું છે જેમાં તેઓ કહેવા માગે છે કે હું ડગીશ નહીં પણ અડીખમ બનીને લડીશ... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.