ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિનીએ ધોરાજીમાં કરી આત્મહત્યા,પિતા અંગે લખ્યું I HATE YOU PAPA


  • Published By :
  • Published Date : 2023-03-12 20:44:26

નાના બાળકોનું મન કોમળ ફુલ સમાન હોય છે. આ બાળકોને જો લાગણી, હૂંફ, પ્રેમ અને સ્નેહ આપવામાં ન આવે તો તેઓ મૂરજાવા લાગે છે. ઘણી વખત બાળકોને માતા-પિતાનો પ્રેમ ન મળે તો તે આત્મહત્યા કરી લેતા હોય છે. આવી એક ઘટના  રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં બની છે. રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલી રોયલ સ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતી તેમજ હોસ્ટેલમાં જ રહેતી દિવ્યા રમેશભાઈ ડોડીયા નામની વિદ્યાર્થિનીએ તેના હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. 


દિવ્યા ડોડીયાના આપઘાતથી હડકંપ


રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલી રોયલ સ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતી તેમજ હોસ્ટેલમાં જ રહેતી દિવ્યા રમેશભાઈ ડોડીયા (ઉવ.16) નામની વિદ્યાર્થિનીએ પોતાના જ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતક વિદ્યાર્થિની પોતાની સ્યુસાઇડ નોટમાં પોતાના આપઘાત પાછળ અન્ય કોઈ નહીં પરંતુ તેના પિતા જવાબદાર હોવાનું જણાવ્યું છે. દિવ્યાએ પોતાની સ્યુસાઇડ નોટમાં " I HATE YOU PAPA " પણ લખ્યું છે.


પિતાની નફરત બની મોતનું કારણ


દિવ્યા ડોડીયાએ જે નોટબુકમાં સ્યુસાઈડ નોટ લખી છે તેમાં લખ્યું છે કે, પપ્પા મારા મરવાનું એક જ કારણ છે અને એ છો તમે. તમે મને અતિ નફરત કરતા હતા, તમે મને ક્યારેય પોતાની દીકરી જ નહોતી સમજી. બસ ઓર્ડર અને ગુસ્સો કરતા જ તમને આવડતું હતું. મારા મરવા પાછળ મને એક બાનો અફસોસ છે. જેને મને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો. SORRY DADI. I HATE YOU PAPA. મા જ્યારે યાદ કરીશ ત્યારે તારી સાથે હોઇશ. મા મને માફ કરી દેજો. કેમ કે આટલા ટેન્શનમાં હું જીવી શકું તેમ નથી. મા મારી આત્માને ક્યારે શાંતિ નહીં મળે. મારા એક એક આંસુનો બદલો લઈશ.


કોણ છે દિવ્યા ડોડીયા?


દિવ્યા ડોડીયા પોરબંદરના કુતિયાણાની રહેવાસી છે, તે છેલ્લા કેટલાય સમયથી પોતાના પિતા અને દાદી સાથે જ રહેતી હતી. ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરવા માટે તે ધોરાજીની રોયલ સ્કૂલ ખાતે આવી હતી. તેમજ સ્કૂલની હોસ્ટેલમાં જ તે રહેતી હતી. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, ગઈ કાલે રાત્રે જમીને પોતાના રૂમમાં ગયા બાદ દિવ્યાએ છેલ્લી વખત પોતાના પરિવારજનો સાથે વાતચીત પણ કરી હતી. વાતચીતમાં પોતાની તબિયત સારી નથી તેવું જણાવ્યું હતું. તેમજ મૃતક દિવ્યાના પિતા BSFમાં નોકરી કરી ચૂક્યા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.