હવે રિક્ષાચાલકો હડતાલના માર્ગે, 10 ઓક્ટોબરે કરશે ચક્કાજામ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 15:48:27

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના રહ્યા છે ત્યારે સમાજનો દરેક વર્ગ તેમની માંગણીઓને લઈને ધરણા-આંદોલનો કરી રહ્યો છે. સરકારી કર્મચારીઓ, ખેડૂતો, માલધારીઓ અને હવે રિક્ષા ચાલકો પણ મેદાનમાં આવ્યા છે. રિક્ષા ચાલક યુનિયને CNGના ભાવમાં સતત થઈ રહેલા વધારાના વિરોધમાં હડતાળની જાહેરાત કરી છે.


રિક્ષા ચાલકો 10 ઓક્ટોબરે હડતાલ પર


CNGના ભાવ વધારાના વિરોધમાં 10 ઓક્ટોબરે અમદાવાદમાં રિક્ષા ચાલકો હડતાલ પાડશે. CNGના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો થતા 10મી ઓક્ટોબરે એક દિવસની પ્રતીક હડતાલના નિર્ણય કરાયો છે. જો કે આ હડતાલ પહેલા આવતીકાલે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે. જો ભાવ વધારો પાછો નહી ખેંચાય તો રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.