Dediyapadaમાં ગોઠવાયો કડક પોલીસ બંદોબસ્ત, Yuvrajsinhને રસ્તામાં જ રોકી દીધા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-06 16:36:49

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી રહી છે. ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ કરાતા આમ આદમી પાર્ટીના નેતાઓ આક્રામક દેખાયા હતા. શનિવારે બજારો માટે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા આજે ડેડિયાપાડા જઈ રહ્યા હતા. ત્યાં પહોંચે તે પહેલા જ તેમને ડિટેઈન કરી લેવામાં આવ્યા છે. યુવરાજસિંહની અટકાયત કરી લેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નેત્રંગ ખાતે તેમને લઈ જવાયા છે.

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આખી ઘટના શું છે તે આપણે જાણીએ છીએ. જ્યારથી પોલીસ ફરિયાદ થવાની માહિતી સામે આવી છે ત્યારથી ધારાસભ્ય ફરાર છે. તેમની પત્નીની ધરપકડ કરી લેવામાં આવી છે. ધારાસભ્ય હજી પણ પોલીસ પકડની બહાર છે. આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ આક્રામક દેખાઈ રહ્યા છે. ઈસુદાન ગઢવી, યુવરાજસિંહ જાડેજા સહિતના નેતાઓએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. ડેડિયાપાડામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ત્યાં હાજર છે. 


ચૈતર વસાવાના સમર્થનમાં જઈ રહ્યા હતા આપ નેતા

આ બધા વચ્ચે યુવરાજસિંહ ડેડિયાપાડા જવા નિકળ્યા હતા તે બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે તેમની અટકાયત કરી લેવામાં આવી છે. ચૈતર વસાવાના સમર્થનમાં તેઓ ડેડિયાપાડા જવા રવાના થયા હતા પરંતુ રસ્તા જ તેમને રોકી દેવામાં આવ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.